ચાંદખેડા સ્થિત સ્વઘા સોસીયલ ફાઉન્ડેશન દ્વારા શ્રમજીવી અને જરૂરિયાતમંદ બાળકો માટે મફત કોમ્પ્યુટર શિક્ષણની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં નોટબુક પેન પેન્સિલનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. કોમ્પ્યુટર શિક્ષણ માટે શ્રમજીવી પરિવારોના બાળકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો અને તેઓમાં કોમ્પ્યુટર શિક્ષણ પ્રત્યે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

શ્રી સંદીપ શ્રીવાસ્તવજી એ જણાવ્યું કે અમદાવાદના તમામ શ્રમિક વિસ્તારમાં આ યોજના શરુ કરવાની છે. આ કાર્યક્રમમાં વિરમદેવ ,નિલ રાવલ , જયદીપ જેવા સ્વયંસેવકોએ ભાગ લઈ કાર્યક્રમને સાર્થક કર્યો હતો. સ્વઘા સોશિયલ ફાઉન્ડેશન વતી શ્રી બી.આર.પાંડેશ્રી વિશાલ શ્રીવાસ્તવ અને પ્રવીણ સિંહએ સહકાર અને માર્ગદર્શન આપ્યો હતો.
