August 7, 2026
ગુજરાત

સ્વઘા સોસીયલ ફાઉન્ડેશન ચાંદખેડા દ્વારા શ્રમજીવી અને જરૂરિયાતમંદ બાળકો માટે મફત કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવ્યું

ચાંદખેડા સ્થિત સ્વઘા સોસીયલ ફાઉન્ડેશન દ્વારા શ્રમજીવી અને જરૂરિયાતમંદ બાળકો માટે મફત કોમ્પ્યુટર શિક્ષણની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં નોટબુક પેન પેન્સિલનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. કોમ્પ્યુટર શિક્ષણ માટે શ્રમજીવી પરિવારોના બાળકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો અને તેઓમાં કોમ્પ્યુટર શિક્ષણ પ્રત્યે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

શ્રી સંદીપ શ્રીવાસ્તવજી એ જણાવ્યું કે અમદાવાદના તમામ શ્રમિક વિસ્તારમાં આ યોજના શરુ કરવાની છે. આ કાર્યક્રમમાં વિરમદેવ ,નિલ રાવલ , જયદીપ જેવા સ્વયંસેવકોએ ભાગ લઈ કાર્યક્રમને સાર્થક કર્યો હતો. સ્વઘા સોશિયલ ફાઉન્ડેશન વતી શ્રી બી.આર.પાંડેશ્રી વિશાલ શ્રીવાસ્તવ અને પ્રવીણ સિંહએ સહકાર અને માર્ગદર્શન આપ્યો હતો.

Related posts

૧૧૬ જેટલા ASI ને PSI તરીકે આપ્યું પ્રમોશન

Ahmedabad Samay

અમદાવાદમાં આજે અને કાલે બે દિવસ ધોધમાર વરસાદની આગાહી, રાજ્યભરમાં છે વરસાદી માહોલ

Ahmedabad Samay

બાકીની રકમ માંગતા ગેરેજ માલિક ને ઈસમોએ મારમારી ગાડીના કાંચ તોડ્યા

Ahmedabad Samay

જી.સી.એસ હોસ્પિટલ દ્વારા કેન્સર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ

Ahmedabad Samay

અમદાવાદ જિલ્લામાં આજથી ૨૭ એપ્રિલ સુધી ‘સ્વાગત સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે

admin

સરકારની જનતાને દિવાળી ભેટ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કર્યો ઘટાડો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો