February 5, 2026
ગુજરાતરાજકારણ

અનિલ રાજપૂતના ફેક પત્રને લઇ ખળભળાટ, કોંગ્રેસ નેતા અનિલ રાજપુતે કરી સ્પષ્ટતા

અનિલ રાજપૂતનો ફેક લેટર જાહેર થતા કોંગ્રેસમાં અને રાજ્યમાં ખળભળાટ મચીજવા પામી છે, કોંગ્રેસના નેતા અનિલ રાજપુતનો ૨૫ જાન્યુઆરીના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને લખેલા પત્રમાં કોંગ્રેસના ધારાસભ્યો ઉમેદવારો પાસેથી પૈસા લઈને ટિકીટ અપાવી રહ્યાં હોવાનો આક્ષેપ કર્યો છે . પત્રમાં કોંગ્રેસના જ એક ટોચના નેતા પર આક્ષેપ કરાયો છે કે , શહેરના એક મંત્રીને પૈસા લઈને ટિકિટ માટે મંજૂરી આપવામાં આવી રહી છે , આ એ જ વ્યક્તિ છે જે પૂર્વ વિસ્તારના ધારાસભ્ય સાથે મળીને ટિકિટો વેચવાનો ધમધોકાર ધંધો ચલાવી રહ્યા છે .

પત્રમાં વધુ લખ્યું છે કે સભ્ય અને તેના મળતિયા અમદાવાદ શહેરના કેટલાક વોર્ડની ટિકિટો ત્રણ લાખથી માંડીને આઠ લાખ રૂપિયામાં રીતસર વેચી રહ્યા છે . પત્રમાં કહેવાયું છે કે , ખરેખર કામ કરનારા લોકોને ન્યાય નહિ મળે તો તેની સંપૂર્ણ માહિતી કોંગ્રેસ હાઈકમાન્ડને સુપરત કરવામાં આવશે .

જોકે આ અંગે અનિલ રાજપુતે અમદાવાદ સમય સાથે વાત કરતા ખુલ્લાંસો કર્યો છે કે  આવો કોઈ લેટર લખ્યો નથી અને મારા નામે કોઈ ત્રાહિત વ્યક્તિએ આ લેટર લખ્યો છે . જેને પણ આ લખ્યો હોય તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે . હિંમતસિંહ પટેલને આદર્શ નેતા માનું છે . લેટર પર તેઓ કાયદેસરની કાર્યવાહી કરે . મને બદનામ કરવા માટે મારા વિરોધીઓ એ લેટર લખ્યો છે .

 

Related posts

સમાનતા ફાઉન્ડેશન દ્વારા વાલીપણા ની મહત્ત્વતા સમજાવવા ના ઉદ્દેશ્યથી ‘પેરેન્ટ્સ ડે’ (માતા-પિતા દિવસ) નિમિત્તે “Pedal for Change – સાયકલ રેલીનો ગાંધીનગર ખાતે આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદના ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી જતાં હોટલ હિલ્લોક પાસે આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો

Ahmedabad Samay

ગણેશ પંચ દ્વારા ત્રીજું વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યું

Ahmedabad Samay

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દીકરાના લગ્નને લઈ ચાલતી અફવાઓ ની સી.એમ એ આપી સ્પષ્ટતા

Ahmedabad Samay

પહેલગામ હુમલામાં મૃતક શૈલેષભાઈની પત્ની શિતલબેનએ જણાવ્યું હતું કે મને મારી સરકાર પર પુરેપુરો ભરોસો હતો

Ahmedabad Samay

મટન ખવડાવીને ચૂંટણી નથી જીતી શકાતી, લોકોનો પ્રેમ અને વિશ્વાસ કમાઓ: નિતિન ગડકરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો