March 25, 2026
ગુજરાતરાજકારણ

અનિલ રાજપૂતના ફેક પત્રને લઇ ખળભળાટ, કોંગ્રેસ નેતા અનિલ રાજપુતે કરી સ્પષ્ટતા

અનિલ રાજપૂતનો ફેક લેટર જાહેર થતા કોંગ્રેસમાં અને રાજ્યમાં ખળભળાટ મચીજવા પામી છે, કોંગ્રેસના નેતા અનિલ રાજપુતનો ૨૫ જાન્યુઆરીના રોજ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને લખેલા પત્રમાં કોંગ્રેસના ધારાસભ્યો ઉમેદવારો પાસેથી પૈસા લઈને ટિકીટ અપાવી રહ્યાં હોવાનો આક્ષેપ કર્યો છે . પત્રમાં કોંગ્રેસના જ એક ટોચના નેતા પર આક્ષેપ કરાયો છે કે , શહેરના એક મંત્રીને પૈસા લઈને ટિકિટ માટે મંજૂરી આપવામાં આવી રહી છે , આ એ જ વ્યક્તિ છે જે પૂર્વ વિસ્તારના ધારાસભ્ય સાથે મળીને ટિકિટો વેચવાનો ધમધોકાર ધંધો ચલાવી રહ્યા છે .

પત્રમાં વધુ લખ્યું છે કે સભ્ય અને તેના મળતિયા અમદાવાદ શહેરના કેટલાક વોર્ડની ટિકિટો ત્રણ લાખથી માંડીને આઠ લાખ રૂપિયામાં રીતસર વેચી રહ્યા છે . પત્રમાં કહેવાયું છે કે , ખરેખર કામ કરનારા લોકોને ન્યાય નહિ મળે તો તેની સંપૂર્ણ માહિતી કોંગ્રેસ હાઈકમાન્ડને સુપરત કરવામાં આવશે .

જોકે આ અંગે અનિલ રાજપુતે અમદાવાદ સમય સાથે વાત કરતા ખુલ્લાંસો કર્યો છે કે  આવો કોઈ લેટર લખ્યો નથી અને મારા નામે કોઈ ત્રાહિત વ્યક્તિએ આ લેટર લખ્યો છે . જેને પણ આ લખ્યો હોય તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે . હિંમતસિંહ પટેલને આદર્શ નેતા માનું છે . લેટર પર તેઓ કાયદેસરની કાર્યવાહી કરે . મને બદનામ કરવા માટે મારા વિરોધીઓ એ લેટર લખ્યો છે .

 

Related posts

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતના અનેક વિસ્તારોમાં ત્રણ દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે

Ahmedabad Samay

રાજયના પોલીસ વડા દ્વારા વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી તમામને ચાંપતો બંદોબસ્ત ફાળવવા સૂચના

Ahmedabad Samay

SPS સેક્યુરીમાં કોરોનાકાળમાં આવી મોટી ભરતી

Ahmedabad Samay

અખિલ ગુજરાત ગોર વણઝારા સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

Ahmedabad Samay

સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ કદ્દાવર કોળી આગેવાન સોમા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ

Ahmedabad Samay

વિપક્ષી નેતા દિનેશ શર્માએ પક્ષમાંથી આપ્યું રાજીનામુ, શુ હવે દિનેશ શર્મા થામશે ભાજપનો હાથ ?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો