September 4, 2026
ગુજરાત

લાયસન્સ રદ હોવા છતાં ધમધમતી એક ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી,10 ના મોત

અમદાવાદમાં એક અત્યંત ચોંકાવનારી અને કમકમાટીભરી ઘટના સામે આવી છે, જેમાં લાયસન્સ રદ હોવા છતાં ધમધમતી એક ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ભયાનક વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો ધડાકો આસપાસના ૫ કિલોમીટર દૂર સુધીના વિસ્તારમાં સંભળાયો હતો. આ ગંભીર દુર્ઘટનામાં ફેક્ટરીની અંદર કામ કરી રહેલા શ્રમિકોની બોડીના ચીથરા ઉડી ગયા હતા. ઘટનાની ગંભીરતાને જોતાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા આ બ્લાસ્ટમાં ૧૦ લોકોના કમકમાટીભર્યા મોતો થયા હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દુઃખ વ્યક્ત અને આર્થિક સહાયની જાહેરાત:
આ ભયાનક આગ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઊંડા અસહ્ય દુઃખની લાગણી વ્યક્ત કરી છે. પીએમઓ ઈન્ડિયાના સત્તાવાર માધ્યમ દ્વારા વડાપ્રધાને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, ગુજરાતના અમદાવાદમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલી આ દુર્ઘટનાથી તેઓ અત્યંત દુઃખી છે અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરે છે. આ સાથે જ વડાપ્રધાન દ્વારા પીડિતો માટે આર્થિક મદદની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત મૃતકોના પરિવારોને પીએમએનઆરએફમાંથી ૨ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે, જ્યારે ઈજાગ્રસ્તોને ૫૦ હજાર રૂપિયાની આર્થિક સહાય પહોંચાડવામાં આવશે. સ્થાનિક તંત્ર પણ હાલ અસરગ્રસ્તોને તમામ સંભવિત સહાય પહોંચાડી રહ્યું છે.

તંત્રનો કાફલો ઘટનાસ્થળે – બચાવ અને રાહત કામગીરી ઝડપી કરાઈ:
બ્લાસ્ટની માહિતી મળતાની સાથે જ સ્થાનિક ફાયરબ્રિગેડની ૫ થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ સાથે નજીકમાં આવેલા આરએએફ કેમ્પમાંથી જવાનો પણ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને પગલે અમદાવાદના મેયર હિતેશ બારોટ, ઝોન ૮ ના ડીસીપી મયુર પાટીલ તેમજ સેક્ટર ૨ ના જેસીપી જયપાલસિંહ રાઠોડ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી બચાવ કામગીરીને વેગ આપ્યો હતો.

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વિવિધ હોસ્પિટલોમાં ખસેડાયા:
આ ભયાનક બ્લાસ્ટમાં અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાના અહેવાલો છે. ઘટનાસ્થળેથી તાત્કાલિક બચાવ કામગીરી કરીને ઈજાગ્રસ્તો પૈકી ૪ વ્યક્તિઓને વધુ સારવાર માટે એલ. જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય ૩ ઈજાગ્રસ્તોને અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ગેરકાયદેસર રીતે ચાલતી ફેક્ટરીનું લાયસન્સ રદ હોવા છતાં આ પ્રવૃત્તિ કેવી રીતે ચાલુ હતી તે દિશામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Related posts

SGVP ગુરુકુલ ખાતે મેરી માટી મેરા દેશ મહોત્સવની ભવ્ય ઉજવણી, શહીદ મહીપતસિંહજી વાળાના પરિવારનું સન્માન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદમાં કોરોના કેસ વધવાનું કારણ, કોરોનાને લઈ તંત્રની બેદરકારી, વાંચવાં જેવું બેદરકારી નો કિસ્સો

Ahmedabad Samay

મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાની પ્રારંભિક તપાસમાં જ કેટલીક ચોંકાવનારી વિગતો આવી સામે

Ahmedabad Samay

નવા ૨૧ વિસ્તારો ઉમેરાતા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા ૧૪૧ થઇ

Ahmedabad Samay

મોરબી જિલ્લાના તબીબી અધિકારી ડો. સંજય જીવાણીનો કોરોના રીપોર્ટ નેગેટીવ

Ahmedabad Samay

ગરમીનાં કારણે શાહરુખ ખાનને લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થતાં KD હોસ્પિટલ લઇ જવામાં આવ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો