વડાપ્રધાન મોદીની વિડીયો કોન્ફરન્સ થકી મુખ્યમંત્રીઓ સાથેની વાતચીત બાદ મળેલા નિર્દેશોથી એ સ્પષ્ટ થઈ ચૂકયુ છે કે લોકડાઉનનો ક ચોથો તબક્કો પણ આવશે.

વડાપ્રધાને મુખ્યમંત્રીઓને વધુમાં જણાવ્યું છે કે તેઓ પોતપોતાના રાજ્યોમાં લોકડાઉનની કેવી વ્યવસ્થા ઈચ્છે છે ? તેની વિગતો ૧૫મી સુધીમાં જણાવે.
જો કે ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ લોકડાઉન લંબાવવાનો વિરોધ કર્યો હતો અને જાણવા મળ્યા મુજબ ગુજરાત અલગ અલગ પ્રકારના નિયમો સાથે લોકડાઉનમાં રાહતો આપવા ગંભીરતાથી વિચારી રહી છે. કડક નિયમો સાથે લોકડાઉનમાં છૂટછાટ આપવા ગુજરાત સરકારે મન બનાવ્યુ છે. હોટસ્પોટના વિસ્તારોમાં કોઈ છૂટછાટ નહિ મળે. રાજ્ય સરકાર દ્વારા હાર્ડવેર, ઈલેકટ્રીક, બુટ-ચપ્પલ, કપડા, સિમેન્ટ સહિતની દુકાનો ખોલવા વિચારી કરી રહી ક છે. હોટલ, રેસ્ટોરન્ટને પાર્સલ સેવાની છૂટ આપવામાં આવશે. સ્કૂલ, મોલ્સ, સિનેમા ઘરો સહિત ભીડભાડવાળા ધાર્મિક સ્થળો હજુ બંધ રહે તેવી શકયતા છે. તમામ બજારો સવારે ૭ થી સાંજના ૫ સુધી ખુલી રાખવા મંજુરી આપવામાં આવશે.વધુ માહિતી મુજબ એવુ પણ નક્કી થઈ રહ્યુ છે કે જો કોરોનાના કેસમાં વધારો થશે તો છૂટછાટ પાછી પણ ખેંચાશે.

2 ટિપ્પણીઓ
ભાઈ મારા હિસાબ થી તો લૉકડાઉન સાંજેથી 5 થી સવારે 5 વાગ્યા વાગ્યા સુધી રેહવું જોઈએ અને પાન મસાલા ના અને ખાની પીની લી લારીઓ તો બિલકુલ બંધ હોવી જોઈએ
Thanks for the reply