March 25, 2026
દેશગુજરાત

કાલે સૂર્યગ્રહણ, ગ્રહણ ની અસર કેટલીક રાશિપર પડશે

કાલે રવિવારે સૂર્ય ગ્રહણ છે અને તેની અસર કેટલીક રાશિઓ પર પણ પડશે. ત્યારે આ સૂર્યગ્રહણ ભૂજમાં સૌથી પહેલા દેખાશે. સવારે 9.58 કલાકે આ સૂર્યગ્રહણ દેખાશે. ત્યારે રાજકોટમાં સવારે 9.59 કલાકે સૂર્યગ્રહણ દેખાશે. અમદાવાદમાં 10.03 કલાકે સૂર્યગ્રહણ દેખાશે અને 4 કલાક બાદ 2.29 કલાકે અસમના ડિબ્રુગઢમાં સૂર્યગ્રહણ પૂર્ણ થશે.

રવિવારે 21 જૂને 2020નું પ્રથમ સૂર્ય ગ્રહણ દેખાશે. આ સૂર્યગ્રહણ વલયાકાર હશે. જેમાં ચંદ્ર વચ્ચે આવી જતાં ગ્રહણની ચરમસિમાએ સૂર્ય કડા કે વીંટી જેવું દેખાય છે. તેને “રિંગ ઓફ ફાયર” પણ કહેવામાં આવે છે. ભારતમાં 25 વર્ષ બાદ આવો સૂર્યગ્રહણ દેખાશે. ત્યારે ઓક્ટોબર 1995માં દિવસે અંધારું છવાઇ ગયું હતું.  રવિવારે દેખાનાર  21 જૂનનું સૂર્યગ્રહણ આ સદીમાં બીજું સૂર્ય ગ્રહણ છે, જે 21 જૂને દેખાશે. અગાઉ 2009માં 21 જૂને સૂર્યગ્રણ દેખાયુ હતું.  તે દિવસે સૂર્ય બરોબર કર્કવૃત્તની ઉપર આવી જશે. આ દિવસ વર્ષનો સૌથી મોટો દિવસ  પણ હોય છે. રવિવારે દેખાનાર સૂર્યગ્રહણથી ગ્રહોની જે સ્થિતિ  બની રહી છે, તે છેલ્લા 500 વર્ષોમાં નથી બની. આ અંગે વારાણસીના જ્યોતિષાચાર્ય જગદીશપ્રસાદ અને રમેશચંદ્રનું કહેવું છે કે અષાઢ મહિનામાં  દેખાનારા આ સૂર્યગ્રહણના સમયમાં રાહુ-કેતુ ઉપરાંત અન્ય ચાર ગ્રહ બુધ, ગુરુ, શુક્ર અને શનિ પણ વક્રી રહેશે. મિથુન રાશિમાં રાહુ સૂર્ય-ચંદ્રમાને  પીડિત કરી રહ્યો છે. જેના કારણે પણ આ ગ્રહણ ખાસ થઇ રહ્યો છે.

ભારતમાં ગ્રહણનો સમય સવારે આશરે 10:20થી શરૂ થશે અને બપોરે 1:49 વાગે પુરો થશે.  ગ્રહણનો સૂતકકાળ તો 20 જૂને શનિવારે રાત્રે 10.20થી શરૂ થઇ જશે અને ગ્રહણની સાથે પુરો થઇ જશે. આ ગ્રહણ ભારત ઉપરાંત ચીન, નેપાળ, પાકિસ્તાન, સાઉદી  આરબ, યુએઇ, ઇથિયોપિયા અને કાંગો સહિતના આફ્રિકાના કેટલાક ભોગોમાં દેખાશે.

સૂર્યગ્રહણનો સમય

ગ્રહણનો પ્રારંભ કાળ – 9.15

કંકણ આરંભ – 10.17

પરમ ગ્રા – 12.10

કંકણ સમાપ્ત – 14.02

ગ્રહણ સમાપ્તિ કાળ – 15.06

ખંડગ્રાસનો સમય – 3 કલાક 28 મિનીટ 36 સેકન્ડ

Related posts

સુસ્ત સિંહના સાચા આંકડાના દાવા વચ્ચે ચપળ દીપડાઓને ગણવામાં વનતંત્રને મુંઝારો

Ahmedabad Samay

અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા કરીને પરત આવેલા ભક્તોની હાર્દિક પટેલે મુલાકાત કરી

Ahmedabad Samay

નરોડાના મધુવન ગ્લોરીમાં સોશિયલ ડિસ્ટન્સ ને ધ્યાનમાં રાખી હોળી પ્રગટાવી

Ahmedabad Samay

મણિનગર:લક્ષ્મીભવન બંગલોમાં ૫૦ થી ૭૦ વર્ષની જુગાર રમતી મહિલા ઝડપાઇ

Ahmedabad Samay

હે! ગણપતિ દાદા, તમે સર્જન કર્યું હતું, તો અમે શા માટે વિસર્જન કરીએ છીએ ?: હાર્દિક હુંડિયા

Ahmedabad Samay

૨૦૧૦ પહેલાં ઇસ્યુ થયું હોય તો લાયસન્સ રિન્યુ કરાવવા કે ડુપ્લીકેટ માટે આરટીઓ સુધી નહીં જવું પડે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો