અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના બ્રિજની ગુણવત્તા જાળવી રાખવા અને તેને વાતાવરણની પ્રતિકૂળ અસરો (વેધર ઇફેક્ટ) થી બચાવવા માટે રૂપિયા 2.81 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
આ કામગીરી ખાસ કરીને શહેરના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા બ્રિજ માટે હાથ ધરવામાં આવશે, જેમાં બ્રિજ આયુષ્ય વધારવા માટે એન્ટી કાર્બોનેશન પેઇન્ટ અને મુખ્ય સ્પાનમાં ડેકોરેટિવ પેઇન્ટ કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટની મંજૂરી મેળવવા માટે આગામી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત રજૂ કરવામાં આવનાર છે.
