March 24, 2026
દેશ

પતંજલિ એ શોધી કોરોના ને હરવાની દવા, પતંજલિ એ લોન્ચ કરી કોરોનીલ દવા,

યોગગુરૂ બાબા રામદેવની પતંજલિ કંપનીનો દાવો છે કે તેઓએ આ મહામારીને  માત આપવાની દવા તૈયાર કરી લીધી છે. આજે પત્રકાર પરીષદને સંબોધીને બાબા રામદેવે કહ્યું કે, વિશ્વ આતુરતાથી રાહ જોઇ રહ્યું હતું કે કોરોનાની  કોઇ દવાની  શોધ કરવામાં આવે પરંતુ આજે અમને ગર્વ છે કે કોરોનાની પ્રથમ આયુર્વેદિક દવા અમે તૈયાર કરી લીધી છે. આ આયુર્વેદિક દવાનું નામ ‘કોરોનિલ’ છે

જેમાં અમે કલીનિકલ કંટ્રોલનું પરીક્ષણ કર્યું. અંદાજે સો લોકો પર તેનું ટેસ્ટ કરવામાં આવ્યું. ત્રણ દિવસની અંદર ૬૫ ટકા દર્દીઓ પોઝીટીવમાંથી નેગેટીવ થયા. યોગગુરૂ  રામદેવે કહ્યું કે, સાત દિવસમાં સો લોકો સ્વસ્થ થયા છે. અમે સંપૂર્ણ રીતે પરીક્ષણ કરીને તેને તૈયાર કરી છે. અમારી દવાનો સો ટકા રીકવરી રેટ છે અને શૂન્ય  ટકા ડેથરેટ છે. રામદેવે કહ્યું કે, ભલે લોકો અમારા આ દાવા પર પ્રશ્નો ઉભા કરે પરંતુ અમારી પાસે દરેક સવાલના જવાબ છે. અમે દરેક વૈજ્ઞાનિક નિયમોનું પાલન કર્યું છે.

આ દવા બનાવામાં ફકત દેશી સામાનનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં મુલૈઠી, કાઠા સહિત અનેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ ગિલોથ, અશ્વગંધા, તુલસી, શ્વાસરિનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

બાબા રામદેવે હરિદ્વારમાં કોરોનિલ દવાની લોન્ચિંગ કરી. આ મોકા પર બાબા રામદેવે કહ્યું કે, દવાની અમે બે વાર  ટ્રાયલ કરી હતી. પ્રથમ કિલનિકલ કંટ્રોલ સ્ટડી, બીજી કિલનિકલ કંટ્રોલ ટ્રાયલ. પહેલા ૧૦૦ લોકો પર કિલનિકલ કંટ્રોલ ટ્રાયલ  સ્ટડી કરવામા આવી. ૩ દિવસની અંદર ૬૯ ટકા દર્દીઓ સાજા થયા. સાત દિવસની અંદર સો ટકા દર્દીઓ સાજા થયા. દવાનો રિકવરી રેટ  ૧૦૦% છે અને ડેથરેટ  ૦% છે.

 

Related posts

ભારતીય જનતા પાર્ટીને નીતિન નબીનના રૂપમાં નવા અધ્‍યક્ષ બન્યા

Ahmedabad Samay

અભિનેતા તેજા સજ્‍જાની ફિલ્‍મ ‘હનુમાન’એ દુનિયાભરમાં ખૂબ ચાહના મેળવી

Ahmedabad Samay

જમ્મુમાં સુરક્ષાદળને મોટી સફળતા, હિજબુલના મોટા કામન્ડરનો કર્યો ખાતમો

Ahmedabad Samay

પતિના મૃત્યુ બાદ પૂર્ણ લગ્ન કરવાથી પૂર્વ પતિના સંપત્તિમાં હવે કોઇ હક્ક નહિ રહે

Ahmedabad Samay

જમ્‍મુ અને કાશ્‍મીરના નૌગામમાં પોલીસ સ્‍ટેશન પરિસર પાસે થયો એક મોટો વિસ્‍ફોટ

Ahmedabad Samay

પ્રખ્યાત પત્રકાર વિનોદ દુઆનું શનિવારે થયું અવસાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો