June 24, 2026
દેશ

પતંજલિ એ શોધી કોરોના ને હરવાની દવા, પતંજલિ એ લોન્ચ કરી કોરોનીલ દવા,

યોગગુરૂ બાબા રામદેવની પતંજલિ કંપનીનો દાવો છે કે તેઓએ આ મહામારીને  માત આપવાની દવા તૈયાર કરી લીધી છે. આજે પત્રકાર પરીષદને સંબોધીને બાબા રામદેવે કહ્યું કે, વિશ્વ આતુરતાથી રાહ જોઇ રહ્યું હતું કે કોરોનાની  કોઇ દવાની  શોધ કરવામાં આવે પરંતુ આજે અમને ગર્વ છે કે કોરોનાની પ્રથમ આયુર્વેદિક દવા અમે તૈયાર કરી લીધી છે. આ આયુર્વેદિક દવાનું નામ ‘કોરોનિલ’ છે

જેમાં અમે કલીનિકલ કંટ્રોલનું પરીક્ષણ કર્યું. અંદાજે સો લોકો પર તેનું ટેસ્ટ કરવામાં આવ્યું. ત્રણ દિવસની અંદર ૬૫ ટકા દર્દીઓ પોઝીટીવમાંથી નેગેટીવ થયા. યોગગુરૂ  રામદેવે કહ્યું કે, સાત દિવસમાં સો લોકો સ્વસ્થ થયા છે. અમે સંપૂર્ણ રીતે પરીક્ષણ કરીને તેને તૈયાર કરી છે. અમારી દવાનો સો ટકા રીકવરી રેટ છે અને શૂન્ય  ટકા ડેથરેટ છે. રામદેવે કહ્યું કે, ભલે લોકો અમારા આ દાવા પર પ્રશ્નો ઉભા કરે પરંતુ અમારી પાસે દરેક સવાલના જવાબ છે. અમે દરેક વૈજ્ઞાનિક નિયમોનું પાલન કર્યું છે.

આ દવા બનાવામાં ફકત દેશી સામાનનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં મુલૈઠી, કાઠા સહિત અનેક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ ગિલોથ, અશ્વગંધા, તુલસી, શ્વાસરિનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

બાબા રામદેવે હરિદ્વારમાં કોરોનિલ દવાની લોન્ચિંગ કરી. આ મોકા પર બાબા રામદેવે કહ્યું કે, દવાની અમે બે વાર  ટ્રાયલ કરી હતી. પ્રથમ કિલનિકલ કંટ્રોલ સ્ટડી, બીજી કિલનિકલ કંટ્રોલ ટ્રાયલ. પહેલા ૧૦૦ લોકો પર કિલનિકલ કંટ્રોલ ટ્રાયલ  સ્ટડી કરવામા આવી. ૩ દિવસની અંદર ૬૯ ટકા દર્દીઓ સાજા થયા. સાત દિવસની અંદર સો ટકા દર્દીઓ સાજા થયા. દવાનો રિકવરી રેટ  ૧૦૦% છે અને ડેથરેટ  ૦% છે.

 

Related posts

વડાપ્રધાન મોદી સોમવારે e-RUPI લોન્ચ કરશે

Ahmedabad Samay

દેશની આ હસ્તીઓને થયો કોરોના, તમે પણ ચેતી જજો

Ahmedabad Samay

દિવ્યાંશ અને મનુરાજ બન્યા ઈન્‍ડિયાઝ ગોટ ટેલેન્‍ટ ૯મી સીઝનના વિજેતા

Ahmedabad Samay

ઓડિશા ટ્રેન દુર્ઘટના: ‘કવચ’ ક્યાં હતું? હવે રેલ્વે મંત્રીના દાવા પર ઉઠ્યા સવાલો, રાજીનામાની માંગ

Ahmedabad Samay

Xiaomiએ સ્માર્ટફોનની રેન્જ વધારતા નવા હેન્ડસેટ Xiaomi 11 Lite NE 5G ને લોન્ચ કર્યો, જાણો તેના બેસ્ટ ફીચર્સ વિશે.

Ahmedabad Samay

હવે સ્વિટ્ઝરલેન્ડ જવાની જરૂર નહીં, ભારતમાં દાવોસ, સ્વિટ્ઝરલેન્ડ જેવા સ્નો સિટી બનાવવાની યોજના

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો