બિહારમાં આજે વીજળી પડવાથી મોટી જાનહાની થઇ છે વીજળી પડવાથી બિહારમાં 83 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ઉત્તર પ્રદેશમાં પણ વીજળી પડવાથી ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે.
બિહારના 23 જિલ્લામાં આકાશમાંથી વીજળી પડવાને કારણે માનવીય ક્ષતી થઈ છે. સૌથી વધુ મોત ગૌપાલજંગમાં થઈ જ્યાં 13 લોકોના મોત થયા છે. જ્યારે મધુબની અને નબાદામાં આઠ-આઠ લોકોના મોત થયા છે. બિહારના 8 જિલ્લા એવા છે જ્યાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે.
આ જિલ્લા ગોપાલગંજ, પૂર્વી ચંપારણ, સિવાન, બાંકા, દરભંગા, ભાગલપુર અકિલા સિવાય મધુબની અને નવાદા છે. ઉત્તર પ્રદેશમાં પણ આકાશીય વીજળી પડવાથી 9 લોકોના મોત થયા છે દેવરિયામાં વીજળી પડવાથી 7 લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો દાઝી ગયા છે. તો બારાબંકામાં પણ બે લોકોના મોત અને બે લોકોને ગંભીર ઈજા થઈ છે.
