May 10, 2026
ગુજરાત

૦૬ માસ બાદ પ્રવાસીઓ માટે ખુલ્યા દીવના તમામ બીચ

કોરોનાના સંકટ વચ્ચે પહેલા લોકડાઉન અને હવે અનલોક જાહેર થયા બાદ ધીમે ધીમે જનજીવન પાટે ચડતું જાય છે તો યાત્રાધામ તેમજ ગુજરાતના પર્યટન સ્થળો સોમનાથ, દ્વારકા, અંબાજી વગેરે પણ ખુલ્યાં છે તો દીવ જતા પ્રવાસીઓ માટે પણ ખુશીના સમાચાર આવ્યાં છે,

દીવ વહીવટી તંત્રએ હવે પ્રવાસન સ્થળના તમામ બીચ ખુલ્લા મુકવાના નિર્ણય લેતાં સ્થાનિક દુકાનદારો તેમજ વેપારીઓમાં પણ આનંદનું મોજું ફરી વળ્યું છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં નાગવા, જલંધર સહિતના બીચ ખુલ્લા મૂકવામાં આવ્યા છે.

તંત્રએ આ તમામ બીચ પર ન્હાવા જવાનો પ્રતિબંધ યથાવત રાખ્યો છે. જેથી બીચ તો ખુલી ગયા છે પરંતુ પ્રવાસીઓ ન્હાવાનો આનંદ નહીં માણી શકે. કોરોના મહામારીના કારણે તબક્કાવાર ચર્ચ, કિલ્લો તેમજ ગુફા સહિતના સ્થળો ખોલી દેવાયા હતાં. હવે બીચ પણ ખુલી જતાં સ્થાનિક વેપારીઓમાં પણ ખુશી જોવા મળે છે. જોકે, આ સાથે જ સોશ્યિલ ડિસ્ટન્સ તેમજ માસ્ક સહિતનો પણ ખ્યાલ રાખવામાં આવશે.

Related posts

અરવલ્લી મોડાસા ખાતે ટુ તથા ફોર વ્હીલર વાહનની સીરીઝના નંબરોની જાહેર હરાજી કરાશે

Ahmedabad Samay

આ કારણે નરોડા બેઠક પર છેલ્લી ઘડીએ નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી

Ahmedabad Samay

સિવિલ હોસ્‍પિટલએ ટેકનોલોજીના માધ્‍યમથી વેબ પોટલ શરૂ,દર્દીઓએ એક ડીપાર્ટમેન્‍ટમાંથી બીજા ડીપાર્ટમેન્‍ટના ધક્કા ખાવા નહીં પડે

Ahmedabad Samay

કોરોનાની સ્થિતી કાબુમાં ન આવે ત્યાં સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત

Ahmedabad Samay

સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી દ્વારા નવા હોદેદારો ને નિમણુંક કરાયા

Ahmedabad Samay

સ્વઘા સોસીયલ ફાઉન્ડેશન ચાંદખેડા દ્વારા શ્રમજીવી અને જરૂરિયાતમંદ બાળકો માટે મફત કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો