February 5, 2026
ગુજરાત

ટાંકી સાફ કરવા ઉતરેલા બે મજૂરોના ગૂંગળામાંથી મોત

અમદાવાદના સુએજ ફાર્મ રોડ પાસે આવેલા ગુલાબનગરમાં હાજી વોશ કંપનીમાં કામ કરતા બે મજૂરોના કરુણ મોત નિપજ્યા હતા. વોશિંગ કંપનીમાં કામ કરતા બન્ને મજૂરો ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા બે મજૂરોના ગૂંગળામણના કારણે મોત થયા હોવાનું પોલીસનું માનવું છે. જેમાંથી ટાંકીમાં ઉતરેલા હરિકિશન રાવત અને મલખાન નામના વ્યક્તિઓ ઘણા સમય સુધી ટાંકીમાંથી બહાર ન આવતા તપાસ કરતા તેઓ બેભાન હાલતમાં ટાંકીમાં પડ્યા હતા.

સમગ્ર ઘટના 108 ને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.  ડોક્ટરે તપાસ કરતા બન્નેને મૃત જાહેર કર્યા. હાલ પોલીસે પરીવારનો સંપર્ક કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની  તપાસમાં  વોશિંગ કંપની છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી અને એસ્ટેટ માલિકે  જીન્સ વોશિંગ કરનારને શેડ ભાડેથી આપ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે  માલિકની બેદરકારી સામે આવશે તો પોલીસ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે

Related posts

જીસીએસ હોસ્પિટલ દ્વારા કરોડરજ્જુ-મણકાને લગતી તકલીફો માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ

Ahmedabad Samay

કોંગ્રેસ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજી અંગે સભાનતાપૂર્વક કરેલ ટીકા ટીપ્પણીને વખોડતા અમદાવાદ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું

Ahmedabad Samay

હરિયાણામાં ભારતમાલા હાઇવે પર અમદાવાદના રામોલ પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મીઓને તપાસ અર્થે જતા એક મોટી દુર્ઘટના સર્જાઈ, અકસ્માતમાં પોલીસકર્મી સહિત ૩ નાં મોત,તેમજ PSI સોલંકી થયા ઇજાગ્રસ્‍ત

Ahmedabad Samay

આ વર્ષે કાંકરિયા કાર્નિવલ નહિ યોજાય: બિજલ પટેલ

Ahmedabad Samay

ગુજરાતમાં કોરોનાના સક્રીય કેસો 700ને પાર, 19 દિવસમાં 1000થી વધુ કેસો નોંધાયા

Ahmedabad Samay

અમદાવાદ – ટ્રાફિક ઝૂંબેશ અંતર્ગત દિવસમાં અંદાજે 2 લાખ દંડ વસૂલાય છે, 15 દિવસમાં 9500થી વધુ કેસો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો