અમદાવાદમાં હાલ કોરોના વાયરસે લોકોની બેદરકારી ને કારણે બીજી ઇનિંગ ચાલુ કરી છે, કોરોના બે કાબુ બન્યો છે અને તેનો પરિણામ કોરોના વોરિયર પણ ભોગી રહ્યા છે.

કોરોના વોરિયર
અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ શ્યામવેદ એલીગન્સમાં હિતેશ રાઠોડ નામનો કોરોના વોરીયરે કોરોના ગ્રસ્ત થતા પરિવારના એકનો એક પુત્રએ પોતાનો જીવ ગુમાવ્યો છે, હિતેન્દ્ર રાઠોડ પોતાની રાષ્ટ્ર ભાવના ને કારણે પરિવાર થી દુર રહી પોતાની ફરજ નિભાવતા હતા, કોરોના સંકટ વધતા હિતેન્દ્ર રાઠોડ એ લોક જાગૃતિ માટે એક પોસ્ટ પણ કરી હતી તે વાંચતા જ હવે લોકોના આંખ ભીની થઇ જાય છે .
હિતેન્દ્રની પોસ્ટ વાંચતા તમને પણ કદાચ અફસોસ થશે કે જો આપણે કે આપણા જેવા લોકોએ બે દરકારી ન કરી હોત તો કદાચ હિતેન્દ્ર અને તેના જેવા અનેક કોરોના વોરિયર પોતાના પરિવાર સાથે હોત.
અમદાવાદ સમય સમાચારપત્ર આપ સૌને જાહેર અપીલ કરે છે કે માસ્ક પહેરો, બે ફૂટની દુરી રાખો, કામ કોય તોજ બહાર નીકળો અને ભીડવાળી જગ્યા ન જવું અને ભીડ એકત્રિત ન કરવી.
