June 22, 2026
ગુજરાત

ટાંકી સાફ કરવા ઉતરેલા બે મજૂરોના ગૂંગળામાંથી મોત

અમદાવાદના સુએજ ફાર્મ રોડ પાસે આવેલા ગુલાબનગરમાં હાજી વોશ કંપનીમાં કામ કરતા બે મજૂરોના કરુણ મોત નિપજ્યા હતા. વોશિંગ કંપનીમાં કામ કરતા બન્ને મજૂરો ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા બે મજૂરોના ગૂંગળામણના કારણે મોત થયા હોવાનું પોલીસનું માનવું છે. જેમાંથી ટાંકીમાં ઉતરેલા હરિકિશન રાવત અને મલખાન નામના વ્યક્તિઓ ઘણા સમય સુધી ટાંકીમાંથી બહાર ન આવતા તપાસ કરતા તેઓ બેભાન હાલતમાં ટાંકીમાં પડ્યા હતા.

સમગ્ર ઘટના 108 ને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.  ડોક્ટરે તપાસ કરતા બન્નેને મૃત જાહેર કર્યા. હાલ પોલીસે પરીવારનો સંપર્ક કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની  તપાસમાં  વોશિંગ કંપની છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી અને એસ્ટેટ માલિકે  જીન્સ વોશિંગ કરનારને શેડ ભાડેથી આપ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે  માલિકની બેદરકારી સામે આવશે તો પોલીસ તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરશે

Related posts

તેજ આઈ સેન્ટર દ્વારા મફત આંખની તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

NSUI ના પૂર્વ મહામંત્રી શ્રી ગૌરાંગ મકવાણા દ્વારા ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.

Ahmedabad Samay

રાઈઝીંગ ઈન્ડીયા દ્વારા સ્વદેશી વસ્તુઓના પ્રચાર પ્રસાર માટે વોકલ ફોર લોકલ અભિયાન ચલાવ્યું

Ahmedabad Samay

રાજકોટના અવકાશમાં અવાજ સાથે સાત રંગથી પ્રકાશિત તરંગો દેખાયા

Ahmedabad Samay

રક્ષક જ બન્યો ભક્ષક, સિનિયર પી.આઇ. વિરુદ્ધ જ કરાઇ ફરિયાદ

Ahmedabad Samay

ગુમ થયેલ છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો