May 8, 2026
દેશ

દેશમાં જાન્યુઆરીથી કોરોનાનું રસીકરણ શરુ થઇ જશે અને ઓકટોબર મહિના સુધી ફરીથી જનજીવન પહેલા જેવું થઇ જશે: આદર પુનાવાલા

સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાના આદર પુનાવાલાએ મોટો દાવો કરતા કહ્યું છે કે દેશમાં જાન્યુઆરીથી કોરોનાનું રસીકરણ શરુ થઇ જશે અને ઓકટોબર મહિના સુધી ફરીથી જનજીવન પહેલા જેવું થઇ જશે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) ના CEO આદર પૂનાવાલાએ માહિતી આપી છે કે ભારતમાં કોવિડ-૧૯ રસીકરણ અભિયાન જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં શરૂ થવાની સંભાવના છે. તેમની કંપની મહિનાના અંત સુધીમાં ઈમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન મેળવવાની અપેક્ષા રાખે છે.

પૂનાવાલાએ કહ્યું કે આ મહિનાના અંત સુધીમાં તેમને ઇમરજન્સી લાઇસન્સ મળી શકે છે, પરંતુ વ્યાપક રસીકરણ માટેનું લાઇસન્સ આવતા મોડું થઇ શકે છે. પૂનાવાલાએ એમ પણ કહ્યું કે તેમને અપેક્ષા છે કે ભારતમાં દરેક નાગરિકને ઓકટોબર ૨૦૨૧ સુધી રસી અપાય જે ફરી એકવાર સામાન્ય જીવનમાં પાછા ફરવાનો માર્ગ મોકળો કરી દેશે.

ભારતના ૨૦% લોકોને કોરોના વાયરસની રસી મળે પછી દેશ આશા અને આત્મવિશ્વાસનું વાતાવરણ ફેલાઈ જશે અને આવતા વર્ષે સપ્ટેમ્બર-ઓકટોબર સુધીમાં આશા છે કે દરેક માટે પૂરતી રસી હશે અને સામાન્ય જીવન પરત આવી જશે.

પૂનાવાલાએ જણાવ્યું છે કે સરકાર જુલાઈ ૨૦૨૧ સુધીમાં ૩૦૦ થી ૪૦૦ મિલિયન ડોઝ મેળવવા માંગે છે અને સીરમ ઇન્સ્ટીટયુટ સરકાર તેમજ ખાનગી બજારો માટે પૂરતી કોરોના વાયરસ રસી તૈયાર કરવાની તૈયારી કરી રહ્યું છે. ભારત રસીકરણ ઝુંબેશની તૈયારી કરી રહ્યું છે, ત્યારે સરકારે કહ્યું છે કે દરરોજ કુલ ૧૦૦ લોકોને પ્રત્યેક રસીકરણની સાઈટ ઉપર એન્ટી કોવિડ ૧૯ શોટ મળે અપેક્ષા છે

Related posts

Delhi NCR સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના આચક અનુભવાય.

Ahmedabad Samay

આજ સ્થિતિ રહી તો લોકડાઉન ૪.૦ આવી શકે છે.

Ahmedabad Samay

સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ એટલે કે NSAB નું પુનર્ગઠન કર્યું

Ahmedabad Samay

લોકસભામાં હિંદુઓ પર કરેલા નિવેદનથી PM મોદી અને અમિતશાહ થયા ભારે ગુસ્સે

Ahmedabad Samay

ગુજરાતની પ્રજા ચેતી જજો, મહારાષ્ટ્રમાં આજથી સોમવાર સવાર સુધી લોકડાઉન

Ahmedabad Samay

૦૪ જેટલી નેશનલ બેંકના બદલાશે IFSC કોડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો