June 22, 2026
દેશરાજકારણ

કર્ણાટક મ્યુ. કોર્પો. ચૂંટણીમાં કોંગ્રેસની જીત, ભાજપનો કારમો હાર

 

પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા પહેલા કર્ણાટકમાં બીજેપીને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યમાં બીજેપીને નગર નિગમ ચૂંટણીમાં ઘોર પરાજ્ય મળ્યો છે. જે ૧૦ સ્થાનિક નિગમ માટે ચુંટણી યોજાય હતી. તેમાંથી ૭ પર કોંગ્રેસે કબ્જો જમાવ્યો છે. બીજેપીને ફકત એક જગ્યાએ જીત મળી છે.

નિગમ ચૂંટણીના પરિણામો આવ્યા બાદ કર્ણાટક કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ ડી.કે.શિવકુમારે જનતાનો આભાર માન્યો છે. કોંગ્રેસની જીત પર ડી.કે.શિવકુમારે ટ્વિટ કર્યું, ૧૦ શહેરી નિગમોમાં થયેલી ચૂંટણીમાં ૭ પર કોંગ્રેસે જીત મેળવી છે. બીજેપી ફકત એક પર જ જીતી છે.

કોંગ્રેસની જીત પર ડીકે શિવકુમારે ટ્વીટ કરી કે ૧૦ મ્યુનિસિપલ કાઉન્સિલમાં થયેલ ચૂંટણીમાં ૭ પર કોંગ્રેસે જીત મેળવી છે. ભાજપ માત્ર એક પર જીત્યું છે. કોંગ્રેસ પાર્ટી પર ભરોસો રાખનાર અને ભાજપને તેના કુશાસન પર સજા આપવા માટે કર્ણાટકના લોકોનો ધન્યવાદ. કુલ મળીને કોંગ્રેસે ૧૧૯ સીટ જીતી છે

જયારે ભાજપે માત્ર ૫૬ અનેજેડીએસ એ ૬૭ સીટો પર જીત પ્રાપ્ત કરી છે.

કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે ટ્વીટમાં લખ્યું કે અત્યારે જીતનો જશ્ન મનાવાનો સમય નથી પરંતુ આપણે આ મુશ્કેલ સમયમાં પ્રજાની સેવા પ્રત્યે આપણા સમર્પણ માટે કટીબદ્ઘ છીએ. હું કર્ણાટકમાં મારી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓને અપીલ કરૃં છું કે કોઇપણ પ્રકારનો જશ્ન ના મનાવો. નેશનલ હેલ્થ ઇમરજન્સીના સમયમાં આપણા તરફથી સર્વશ્રેષ્ઠ પ્રયાસ કરતાં પ્રજાની મદદમાં લાગેલા રહો.

કર્ણાટક અને બેંગલુરૂમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. અહીં ૪૮૨૯૬ નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. તેની સાથે જ રાજયોમાં કોરોનાના કુલ કેસ હવે વધીને ૧૫૨૩૧૪૨ થઇ ગયા છે. એકિટવ દર્દીઓના આંકડા ૩ લાખ ૮૨ હજારથી ઉપર છે. અત્યાર સુધીમાં વાયરસની ઝપટમાં ૧૫૫૨૩ લોકોના મોત થઇ ચૂકયા છે. કર્ણાટક સરકારે કોરોનાના ફેલાવાને રોકવા માટે ૨૭ એપ્રિલની રાતથી ૧૨મી મે સુધી સવાર સુધી રાજયના શહેરી વિસ્તારોમાં ૧૪ દિવસનું લોકડાઉન કરી દીધું છે.

Related posts

અમદાવાદ – ગુજરાત યુનિવર્સિટીના અરવિંદ કેજરીવાલના માનહાની કેસ મામલે કોર્ટમાં થઈ સુનાવણી

Ahmedabad Samay

બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની કારમી હાર બાદ બંગાળના રાજકારણમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા શરૂ, દીદીને રાજીનામું આપવું નથી

Ahmedabad Samay

અમરેલીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનાં ડો.પ્રવિણ તોગડીયાનું સ્વાગત કરાયું ડોક્ટર ગજેરા સાહેબને એક એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવેલી

Ahmedabad Samay

રાણા સાંગા પર સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમન દ્વારા આપતી જનક ટીપ્પણી કરવા બદલ હિન્દૂ સમાજ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરાશે

Ahmedabad Samay

સરકાર કારીગરોને બનાવશે કારોબારી, PM મોદીએ જણાવ્યું શું છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના

Ahmedabad Samay

દેશને લોકડાઉન થી બચાવવાનું છે: PM નરેન્દ્ર મોદી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો