May 15, 2026
દેશ

એગ્રી ઇન્ફ્રા સેસ લગાવવાથી ખાનપાનથી અને મોજશોખની ચીજો થઇ જશે મોંઘી

સરકારે ૩૫ ટકા એગ્રી ઇન્ફ્રા સેસ લગાવવાથી હવે તે મોંઘુ બનશે. આ સાથે ખાતર પર પણ ૫ ટકાનો સેસ લાગવાથી તે વધારે મોંઘું બની શકે છે.

સરકારે કાચા પામ તેલ પર ૧૭.૫ ટકા, કાચા સોયાબીન અને સૂરજમુખીના તેલ પર ૨૦ ટકાનો એગ્રી ઈન્ફ્રા સેસ લગાવ્યો છે. ગ્રાહકો પર કિંમતનો ભાર ન પડે તે માટે તેની પર બેઝિક કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરાયો છે. જો આવું ન થાત તો તમારા ખિસ્સા પર અસર થઈ શકે છે.

બજેટમાં સોનું અને ચાંદી પર ઉત્પાદ શુલ્ક ૫ ટકા ઘટ્યો છે. તેને ૧૨.૫ ટકાથી ઘટાડીને ૭.૫ ટકા કરાયો છે. તો સોના અને તાંદીના બિસ્કિટ પર પણ સીમા શુલ્ક ઘટ્યો છે. એવામાં એપ્રિલમાં સોનું અને ચાંદી સસ્તું થવાની શકયતા છે. સરકારે સોના અને ચાંદી પર ૨.૫ ટકા એગ્રી ઇન્ફ્રા સેસ લગાવ્યો છે. એવામાં તાત્કિાક રીતે કિંમતોમાં વધારો પણ શકય છે.

બજેટમાં પેટ્રોલ પર ૨.૫ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર ૪ રૂપિયા પ્રતિ લિટરનો એગ્રી ઈન્ફ્રા સેસ લાગ્યો છે. એવામાં તેની કિંમતો વધવાની શકયતા છે. જો કે આ ખાસ કરીને કંપનીઓ પર નિર્ભર રહે છે.

હવે દારૂ પીવો થશે મોંઘો , બજેટમાં એલ્કોહોલિક બેવરેજ પર ૧૦૦ ટકા એગ્રી ઇન્ફ્રા સેસ લગાવાયો છે. આ રીતે દારૂ પીવાનું બમણું મોંઘું થઈ શકે છે.  ૨૦૦ રૂપિયાનો દારૂ  હવે એટલી જ કોન્ટિટી માટે ૪૦૦ રૂપિયા ખર્ચ કરવાનો રહેશે.

આ ચીજો પર સરકારે બજેટમાં લગાવ્યો એગ્રીકલ્ચર સેસ

. પેટ્રોલ અને ડીઝલ પર ક્રમશઃ ૨.૫ રૂપિયા અને ૪ રૂપિયા

.સોના ચાંદી પર ૨.૫ ટકા

.દારૂ પર ૧૦૦ ટકા

.કાચું પામ ઓઈલ પર ૧૭.૫ ટકા

.કાચા સોયાબીન અને સૂરજમૂખી તેલ પર ૨૦ ટકા

.સફરજન પર ૩૫ ટકા

.યૂરિયા અને ફર્ટિલાઈઝર પર ૫ ટકા

.વટાણા પર ૪૦ ટકા

.કાબૂલી ચણા પર ૩૦ ટકા

.મસૂર પર ૨૦ ટકા

.કપાસ પર ૫ ટકા

Related posts

આરએસએસ દેશને હિન્દુ રાષ્ટ્ર પણ બનાવવા માગે છે :SGPC(શિરોમણી ગુરૂદ્વારા પ્રબંધક કમીટી)

Ahmedabad Samay

વેકસીનના એક ડોઝની કિંમત નક્કી કરાઇ

Ahmedabad Samay

સુપ્રીમ કોર્ટે મમતા સરકાર, બંગાળ પોલીસ અને હોસ્પિટલ પ્રશાસન પર અનેક સવાલો ઉઠાવ્યા હતા,જાણો સુપ્રીમ કોર્ટમાં થયેલ સુનાવણીની 10 મોટી વાતો

Ahmedabad Samay

આ નાણાકીય વર્ષમાં આવા ઘણા ફેરફારો થવાના છે જેનો ફાયદો મધ્‍યમ વર્ગને થશે

Ahmedabad Samay

ઓલમ્પિક:કુસ્તીબાજ પ્રિયા મલિકે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીત્યો

Ahmedabad Samay

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા રામ મંદિર બનાવવા દરેક હિન્દૂ દ્વારા ભંડોળ એકત્રિત કરી જનભાગીદારી કરાવવામાં આવશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો