March 24, 2026
દેશ

એગ્રી ઇન્ફ્રા સેસ લગાવવાથી ખાનપાનથી અને મોજશોખની ચીજો થઇ જશે મોંઘી

સરકારે ૩૫ ટકા એગ્રી ઇન્ફ્રા સેસ લગાવવાથી હવે તે મોંઘુ બનશે. આ સાથે ખાતર પર પણ ૫ ટકાનો સેસ લાગવાથી તે વધારે મોંઘું બની શકે છે.

સરકારે કાચા પામ તેલ પર ૧૭.૫ ટકા, કાચા સોયાબીન અને સૂરજમુખીના તેલ પર ૨૦ ટકાનો એગ્રી ઈન્ફ્રા સેસ લગાવ્યો છે. ગ્રાહકો પર કિંમતનો ભાર ન પડે તે માટે તેની પર બેઝિક કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરાયો છે. જો આવું ન થાત તો તમારા ખિસ્સા પર અસર થઈ શકે છે.

બજેટમાં સોનું અને ચાંદી પર ઉત્પાદ શુલ્ક ૫ ટકા ઘટ્યો છે. તેને ૧૨.૫ ટકાથી ઘટાડીને ૭.૫ ટકા કરાયો છે. તો સોના અને તાંદીના બિસ્કિટ પર પણ સીમા શુલ્ક ઘટ્યો છે. એવામાં એપ્રિલમાં સોનું અને ચાંદી સસ્તું થવાની શકયતા છે. સરકારે સોના અને ચાંદી પર ૨.૫ ટકા એગ્રી ઇન્ફ્રા સેસ લગાવ્યો છે. એવામાં તાત્કિાક રીતે કિંમતોમાં વધારો પણ શકય છે.

બજેટમાં પેટ્રોલ પર ૨.૫ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર ૪ રૂપિયા પ્રતિ લિટરનો એગ્રી ઈન્ફ્રા સેસ લાગ્યો છે. એવામાં તેની કિંમતો વધવાની શકયતા છે. જો કે આ ખાસ કરીને કંપનીઓ પર નિર્ભર રહે છે.

હવે દારૂ પીવો થશે મોંઘો , બજેટમાં એલ્કોહોલિક બેવરેજ પર ૧૦૦ ટકા એગ્રી ઇન્ફ્રા સેસ લગાવાયો છે. આ રીતે દારૂ પીવાનું બમણું મોંઘું થઈ શકે છે.  ૨૦૦ રૂપિયાનો દારૂ  હવે એટલી જ કોન્ટિટી માટે ૪૦૦ રૂપિયા ખર્ચ કરવાનો રહેશે.

આ ચીજો પર સરકારે બજેટમાં લગાવ્યો એગ્રીકલ્ચર સેસ

. પેટ્રોલ અને ડીઝલ પર ક્રમશઃ ૨.૫ રૂપિયા અને ૪ રૂપિયા

.સોના ચાંદી પર ૨.૫ ટકા

.દારૂ પર ૧૦૦ ટકા

.કાચું પામ ઓઈલ પર ૧૭.૫ ટકા

.કાચા સોયાબીન અને સૂરજમૂખી તેલ પર ૨૦ ટકા

.સફરજન પર ૩૫ ટકા

.યૂરિયા અને ફર્ટિલાઈઝર પર ૫ ટકા

.વટાણા પર ૪૦ ટકા

.કાબૂલી ચણા પર ૩૦ ટકા

.મસૂર પર ૨૦ ટકા

.કપાસ પર ૫ ટકા

Related posts

બિહારમાં પરિવર્તન નહી પુનરાવર્તન થઈ રહયું છે. નીતિશકુમારની વાપસી થઈ રહી

Ahmedabad Samay

મોંઘવારીનો આંક પહોંચ્યો ૭.૩૯ ટકાએ

Ahmedabad Samay

ક્‍વિક પેમેન્‍ટ UPI ક્ષેત્રે ભારતે ડંકો વગાડ્‍યો છે અને તે વિશ્વના અન્‍ય દેશોની તુલનાએ સૌથી મોખરે રહ્યું

Ahmedabad Samay

મણિપુરમાં બનેલ ઘટનાની તમામ માહિતી,એક આરોપીની થઇ ધરપકડ,PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

Ahmedabad Samay

હેલિકોપ્ટર ક્રેશમાં જનરલ શ્રી બિપિન રાવત અને તેમનાં પત્ની શ્રીમતી મધુલિકાનું દુઃખદ અવસાન, દેશમાં શોકનો માહોલ

Ahmedabad Samay

મુંબઇમાં એક એવી સોસાયટી બની રહી છે જે ફક્ત મુસ્લિમો માટે હશે,જાહેરાત ચર્ચામાં આવતા સરકાર ને કડક કાર્યવાહી કરવા અને તપાસના કરવા પત્ર લખવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો