શિરોમણી ગુરૂદ્રારા પ્રબંધક કમીટીના જનરલ સત્ર દરમિયાન પસાર થયેલ એક ઠરાવ દ્વારા ભારતમાં શીખો અને લઘુમતીઓને દબાવવા માટેની સાજીશોનો સખત વિરોધ કરવામાં આવ્યો છે.
ઠરાવમાં કહેવાયુ છે કે ભારત એક બહુધર્મી, બહુભાષી અને બહુવર્ગી દેશ છે. તેની આઝાદીમાં દરેક ધર્મનું મોટું યોગદાન રહેલ છે. ખાસ કરીને શીખ કોમે ૮૦%થી વધુ બલિદાન આપેલ છે, પરંતુ અફસોસની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી આરએસએસ તરફથી દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની સાજીશો હેઠળ બીજા ધર્મોની ધાર્મિક આઝાદીને દબાવવામાં આવી રહી છે.
