આમ આદમી પાર્ટીએ સુરતમાં ખાતું ખોલાવતા 27થી વધારે બેઠકો પર વિજય મેળવ્યો છે.આપે પ્રથમ વખત સુરતમાં ઉમેદવારો ઊભા રાખ્યા હતા. હાલની સ્થિતિમાં આપ વિરોધ પક્ષમાં બેસી સત્તા પક્ષને હંફાવવા એન્ટ્રી કરી લીધી છે. ગુજરાત રાજકારણમાં એન્ટ્રી લેનાર આપે સુરતમાંથી પોતાના શ્રી ગણેશ કર્યા છે.
સુરતમાં ભાજપ પછીથી બીજા નંબરે આમ આદમી પાર્ટી છે. જ્યારે કોંગ્રેસ ત્રીજા નંબરે છે. હાલની સ્થિતિ જોતા એવું કહી શકાય કે સુરત મહાનગરપાલિકામાં ભાજપ ભલે સત્તા પક્ષે બેસે પરંતુ વિરોધ પક્ષમાં આપના સભ્યોને સ્થાન ચોક્કસ મળશે.સુરતમાં 26મીએ કેજરીવાલનો રોડ શો યોજી શકે છે.
અમદાવાદમા ઔવીસીની પાર્ટીની તો સુરતમાં આપની એન્ટ્રી થઈ છે. કોંગ્રેસની ગુજરાતમાં પડતી શરૂ થઈ હોય તેમ ભારે શરમજનક હાર થઈ છે.
