અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સિવાય ઓવૈસીની AIMIM પણ મેદાનમાં હતી. અમદાવાદમાં જમાલપુર વોર્ડની તમામ 4 બેઠક જીત સાથે AIMIMની આખી પેનલ જીતી હતી જ્યારે મક્મતપુરામાં ઓવૈસીની પાર્ટીએ કોંગ્રેસની પેનલ તોડી હતી અને ત્રણ બેઠક જીતી લીધી હતી જ્યારે એક બેઠક કોંગ્રેસને મળી હતી. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અમદાવાદમાં ખાતુ ખોલાવી શકી નહતી.
ગોતા,ચાંદલોડિયા, સાબરમતી, સરદારનગર, સૈજપુર-બોઘા, નરોડા, નિકોલ, બાપુનગર, વિરાટનગર, સરસપુર, નવાવાડજ, ઘાટલોડિયા, અસારવા, શાહીબાગ, નિકોલ, ખાડિયા, પાલડી, વાસણા, ઓઢવ, વસ્ત્રાલ, ઇન્દ્રપુરી, જોધપુરમાં ભાજપની પેનલ જીતી હતી
દરિયાપુર, દાણીલીમડા, બહેરામપુરા ગોમતીપુમાં કોંગ્રેસની પેનલ જીતી હતી. 1995થી દરિયાપુર વોર્ડ કોંગ્રેસનો ગઢ રહ્યો છે. પોતાનો ગઢ સાચવવામાં કોંગ્રેસ સફળ રહ્યુ હતું. જોકે, ઓવૈસીની પાર્ટીએ કોંગ્રેસના ગઢ ગણાતા મક્તમપુરા અને જમાલપુર વોર્ડમાં ગાબડુ પાડ્યુ હતું.
મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સિવાય ઓવૈસીની AIMIM પણ મેદાનમાં હતી. અમદાવાદમાં જમાલપુર વોર્ડની તમામ 4 બેઠક જીત સાથે AIMIMની આખી પેનલ જીતી હતી.
અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ શશિકાંત પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતું.






