May 7, 2026
ગુજરાત

ડીસાના ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેકટરીના અગ્નિકાંડમાં 21 નિર્દોષોનો ભોગ લેવાયો

ડીસાના ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેકટરીના અગ્નિકાંડમાં 21 નિર્દોષોનો ભોગ લેવાયો છે. આ ફેક્ટરી ખૂબચંદ સીંધી નામના વ્યક્તિની માલિકીની દીપક ટ્રેડર્સ એજન્સી હોવાનું બહાર આવ્યું છે. વહેલી સવારે અચાનક આગ લાગવાની ઘટનામાં આગ એટલી ઝડપથી ફેલાઈ કે શ્રમિકોને બહાર નીકળવાનો મોકો પણ ન મળ્યો. વિસ્ફોટક પદાર્થોના ભડાકા સાથે આગે આખી ફેક્ટરીને પોતાની લપેટમાં લઈ લીધી.

ડીસામાં ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટથી જે કરુણાંતિકા સર્જાઈ છે. તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ ગંભીર નોંધ લીધી છે. મુખ્યમંત્રી સ્થાનિક પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે. તેમણે કલેકટર અને પ્રભારી મંત્રીને સ્થળ પર પહોંચવા સૂચના આપી છે. સ્થાનિક તંત્ર સાથે સંકલન કરવા પણ સૂચના આપી છે.

ફટાકડાની ફેક્ટરીમાં ગેરકાયદેસર દારુગોળાનો ઉપયોગ થયો છે. આ ફેક્ટરી ચાલી રહી હતી તેમાં પોલીસ અને સ્થાનિક પ્રશાસનનો ખુલ્લેઆમ સપોર્ટ હોવો જોઈએ. ફટાકડાની ફેકટરી ચલાવવામાં કેટલા લાયસન્સ લાગે તેમાંથી કેટલા રીન્યૂ કરાવ્યા હશે.આ મામલે પણ ભારે ચર્ચા જાગી છે

ફેક્ટરીમાં પાણી ગરમ કરવા માટે ઉપયોગમાં લેવાતું બોઇલર ફાટવાને કારણે આગ ભભૂકી ઊઠી હતી. આ ઘટના બાદ વિસ્ફોટક પદાર્થોમાં થયેલા ધડાકાઓએ આગને વધુ ઉગ્ર બનાવી દીધી. આગની લપેટમાં આવેલી ફેક્ટરીના ગોડાઉનમાં મોટી માત્રામાં ફટાકડાનો સંગ્રહ કરાયો હતો, જેના કારણે આગ પર કાબૂ મેળવવો પડકારજનક બની ગયું છે. આ ઘટનાને પરિણામે વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા છે. જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં પણ ભયનો માહોલ ઊભો થયો.

ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાના ફાયર ફાયટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો શરૂ કર્યા, પરંતુ આગની ભયાનકતા એટલી હતી કે તેને ઓલવવામાં ઘણો સમય લાગી શકે તેવી સ્થિતિ હતી. ફેક્ટરીમાં હાજર વિસ્ફોટક સામગ્રીએ આગને વધુ ભડકાવી, જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ ઉભી થઈ. ફાયર ફાયટરો દ્વારા આગને ફેલાતી અટકાવવા અને શ્રમિકોને બચાવવા માટે પૂરી તાકાત લગાવવામાં આવી હતી.

Related posts

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા ઇન્ફોર્મેશન વોરફેર પર 5-દિવસીય ઓનલાઈન કોર્સની જાહેરાત કરાઈ

Ahmedabad Samay

૨૪ કલાકમાં પોણા બસો કેસ આવ્યા સામે,કોરોનાની ગાઇડલાઇનનું કડક પાલન થાય તે માટે પોલીસને વધુ સક્રિય થવા જણાવ્યું,

Ahmedabad Samay

અમદાવાદ – આંખ આવવાના કેસોમાં વધારો, સિવિલમાં જ રોજના 298 કેસો, અર્બન હેલ્થ સેન્ટર પર 1600

Ahmedabad Samay

નમો સેના સંગઠનના સંસ્થાપક સંજયભાઈ ગોસ્વામી દ્વારા જાહેર જનતાને સાથે મળીને આ લાઈવ ડિબેટનુ આયોજન કરવામાં આવશે

Ahmedabad Samay

અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી 400 વર્ષ જૂની મંસા મસ્જિદનો એક ભાગ રોડ પહોળો કરવા માટે તોડી પાડવામાં આવશે

Ahmedabad Samay

રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રોનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજિયાત સ્વીકારાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો