May 15, 2026
ધર્મ

તા.૦૯/૦૩/૨૦૨૧ મંગળવારે છે વિજયાએકાદશી, જાણો વિજયાએકાદશી ની મહિમા, પૂજા વિધિ અને મહત્વ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી.
નિમેષભાઈ જોષી

હિન્દુ ધર્મ માં એકાદશી એક મહત્વપુર્ણ તિથી ગણાય છે, અને આ પવન તિથીના રોજ જે કોઈ હરિભક્ત ભક્તિભાવ થી વિધિવિધાન પૂર્વક આ વ્રત નું પાલન કરે છે તેને દરેક કાર્યો માં સફળતા પ્રાપ્ત થાય છે.

પુજા અને વિધિ

સવારે વહેલા ઉઠી સ્નાન ઈત્યાદી કર્મ થી પરવારી ઘી નો દિપક પ્રગટાવીને વ્રત – ઉપવાસ કરવા માટેનો સંકલ્પ કરવો, ભગવાન વિષ્ણુ નારાયણની પ્રતિમાને જળ થી સ્નાન અભિષેક કરાવી ચંદન,પુષ્પ,ધૂપ,દીપ, ફળ,આરતી વગેરે અર્પણ કરવું. સાથોસાથ ભગવાન નો સ્ત્રોત્ર નો પાઠ કરવો તેમજ ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો યથા શક્તિ જાપ કરવો, આખો દિવસ કોઈપણ જાત નું અનાજ ખાવું નહીં. ઉપવાસ કરવો.

મહત્વ

પદ્મ પુરાણ અનુસાર સ્વયં મહાદેવે નારદજીને ઉપદેશ આપ્યો હતો કે એકાદશી મહાન પુણ્ય આપનાર તિથી છે. જે મનુષ્ય વિજયા એકાદશીનું વ્રત કરે છે તેના પિતૃઓ અને પૂર્વજોને જો ખરાબ યોનિ પ્રાપ્ત થયેલ હોય તો તેમાથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે અને સમસ્ત પાપ માં થી મુક્તિ મળે છે.

મારી આપ સર્વે સત્સંગી ભાઈ – બહેનોને આ એકાદશી નું વ્રત કરવા અનુરોધ કરું છુ.

શાસ્ત્રી શ્રી નિમેશભાઈ જોશી – મોબાઈલ નંબર ૯૭૨૭૦૫૯૬૮૩

Related posts

એક મહિના માટે પૂજય પ્રમુખ સ્‍વામી મહારાજના શતાબ્‍દી મહોત્‍સવનો સાંજથી પ્રારંભ, વડાપ્રધાને આપી હાજરી

Ahmedabad Samay

માનસિક તણાવ ઓછો કરવાની સાથે આત્મવિશ્વાસ વધારે છે આ રત્ન, ધારણ કરવાથી ચમકી જશે ભાગ્ય

Ahmedabad Samay

હોળીના દિવસે ઘરમાં આ કીડો જોવા મળે તો સમજવું કે નસીબ બદલાશે, ભાગ્ય ચમકશે

Ahmedabad Samay

લગ્ન અને શુભ પ્રશનગો પર આજથી લાગ્યો વિરામ, કમુહર્તા થયા શરૂ

Ahmedabad Samay

વાસ્તુશાસ્ત્ર અનુસાર ડસ્ટબિનને આ દિશામાં રાખવી રહેશે હીતાવહ, જાણો શું કહે છે નિયમ

Ahmedabad Samay

પ્રેમમાં નિષ્ફળ જાય છે આ મૂળાંકના લોકો, બે લગ્નનો બને છે યોગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો