February 5, 2026
ધર્મ

તા.૦૯/૦૩/૨૦૨૧ મંગળવારે છે વિજયાએકાદશી, જાણો વિજયાએકાદશી ની મહિમા, પૂજા વિધિ અને મહત્વ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી.
નિમેષભાઈ જોષી

હિન્દુ ધર્મ માં એકાદશી એક મહત્વપુર્ણ તિથી ગણાય છે, અને આ પવન તિથીના રોજ જે કોઈ હરિભક્ત ભક્તિભાવ થી વિધિવિધાન પૂર્વક આ વ્રત નું પાલન કરે છે તેને દરેક કાર્યો માં સફળતા પ્રાપ્ત થાય છે.

પુજા અને વિધિ

સવારે વહેલા ઉઠી સ્નાન ઈત્યાદી કર્મ થી પરવારી ઘી નો દિપક પ્રગટાવીને વ્રત – ઉપવાસ કરવા માટેનો સંકલ્પ કરવો, ભગવાન વિષ્ણુ નારાયણની પ્રતિમાને જળ થી સ્નાન અભિષેક કરાવી ચંદન,પુષ્પ,ધૂપ,દીપ, ફળ,આરતી વગેરે અર્પણ કરવું. સાથોસાથ ભગવાન નો સ્ત્રોત્ર નો પાઠ કરવો તેમજ ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો યથા શક્તિ જાપ કરવો, આખો દિવસ કોઈપણ જાત નું અનાજ ખાવું નહીં. ઉપવાસ કરવો.

મહત્વ

પદ્મ પુરાણ અનુસાર સ્વયં મહાદેવે નારદજીને ઉપદેશ આપ્યો હતો કે એકાદશી મહાન પુણ્ય આપનાર તિથી છે. જે મનુષ્ય વિજયા એકાદશીનું વ્રત કરે છે તેના પિતૃઓ અને પૂર્વજોને જો ખરાબ યોનિ પ્રાપ્ત થયેલ હોય તો તેમાથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે અને સમસ્ત પાપ માં થી મુક્તિ મળે છે.

મારી આપ સર્વે સત્સંગી ભાઈ – બહેનોને આ એકાદશી નું વ્રત કરવા અનુરોધ કરું છુ.

શાસ્ત્રી શ્રી નિમેશભાઈ જોશી – મોબાઈલ નંબર ૯૭૨૭૦૫૯૬૮૩

Related posts

માત્ર હાથની રેખાઓ જ નહીં, નખના આ નિશાન પણ જણાવે છે ભાગ્ય અને ભવિષ્યનું રહસ્ય, આ રીતે જાણો શુભ કે અશુભ

Ahmedabad Samay

ગંગોત્રી – યમનોત્રી અને કેદારનાથ ધામના કપાટ ખુલ્યા પછી હવે ભક્તો માટે આજે બદ્રીનાથના દર્શન માટે કપાટ ખુલશે

Ahmedabad Samay

કેવી રીતે હનુમાનજી અને શનિદેવની મિત્રતા થઈ, અહીં વાંચો આ રસપ્રદ વાર્તા

Ahmedabad Samay

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો, જાણો સાપ્તાહિક રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

Today Horoscope: આ 4 રાશિઓ માટે ભાગ્યશાળી રહેશે આજનો દિવસ, મંગળવાર, બજરંગ બલિની કૃપાથી બની રહી છે ધન-સંપત્તિ; તમારી જન્માક્ષર જાણો

Ahmedabad Samay

કાલે છે અજા એકાદશી,જાણો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા અજા એકાદશીના દિવસે કઇ વાતોનું ધ્યાન રાખવું અને શું થશે લાભ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો