August 8, 2026
રાજકારણદેશ

અરુણ ગોવિલે ભગવો ધારણ કર્યો, રામાયણ માં શ્રી રામ બનેલા અરુણ ગોવિલ ભાજપમાં જોડાયા

મશહૂર  અભિનેતા અરુણ ગોવિલ ભાજપમાં સામેલ થઇ ગયા છે. રામાનંદ સાગરના સીરિયલ ‘રામાયણ’માં તેમણે ભગવાન રામની ભૂમિકા ભજવી હતી. અરુણ ગોવિલે દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં પાર્ટીની સભ્યતા મેળવી છે.

ભાજપમાં સામેલ થયા પછી અરુણ ગોવિલે જણાવ્યું કે આ સમયે આપણી જે ફરજ છે, તેને કરવી જોઇએ. મને આજ પહેલા રાજકારણ સમજાયું નહોતું, પરંતુ મોદીજીએ દેશને સંભાળ્યો ત્યારથી દેશની દશા-દિશા બદલાઈ ગઈ છે. મારા હૃદય અને મગજમાં જે થાય છે તે કરું છું.

5 રાજ્યોમાં થનાર વિધાનસભા ચૂંટણી વચ્ચે અરુણ ગોવિલની ભાજપમાં એન્ટ્રી ખાસ માનવામાં આવી રહી છે. જોકે પાર્ટીમાં અરુણ ગોવિલની જવાબદારી શું હશે, તે હજુ સ્પષ્ટ નથી. અનુમાન છે કે ગોવિલ ભાજપની સભ્યતા ધારણ કર્યા પછી વિધાનસભા ચૂંટણી લડી શકે છે, જોકે આ અંગે પાર્ટી અથવા પોતે ગોવિલ તરફથી કોઇ નિવેદન સામે નથી આવ્યું

Related posts

ઘર વપરાશના ખર્ચમાં થશે વધારો,બાથ અને લોન્ડ્રી સાબુ, ડિટર્જન્ટ અને અન્ય પ્રોડક્ટ્સના ભાવમાં વધારો

Ahmedabad Samay

શુ તમે ગ્રીન ફ્યુઅલ વિશે સાંભળ્યું છે ? ભારત હવે ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવા માટે ‘ગ્રીન ફ્યુઅલ’ તરફ એક મોટું ડગલું ભરી રહ્યું છે

Ahmedabad Samay

વધુ ત્રણ મહિના બેન્કના હપ્તા માફ.

Ahmedabad Samay

લોકસભા ચૂંટણી પહેલા TMCને ઝટકો લાગ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ છોડ્યા બાદ તાપસ રોય બુધવારે ભાજપમાં જોડાયા

Ahmedabad Samay

સરકાર ૧૮ જેટલા આંદોલનના ચક્રવ્‍યૂહમાં ઘેરાયેલી જોવા મળી રહી છે.

Ahmedabad Samay

પાસપોર્ટ નાગરિકતાના કાયદેસર પુરાવા તરીકે સંપૂર્ણ માન્‍ય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો