May 9, 2026
રાજકારણદેશ

અરુણ ગોવિલે ભગવો ધારણ કર્યો, રામાયણ માં શ્રી રામ બનેલા અરુણ ગોવિલ ભાજપમાં જોડાયા

મશહૂર  અભિનેતા અરુણ ગોવિલ ભાજપમાં સામેલ થઇ ગયા છે. રામાનંદ સાગરના સીરિયલ ‘રામાયણ’માં તેમણે ભગવાન રામની ભૂમિકા ભજવી હતી. અરુણ ગોવિલે દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં પાર્ટીની સભ્યતા મેળવી છે.

ભાજપમાં સામેલ થયા પછી અરુણ ગોવિલે જણાવ્યું કે આ સમયે આપણી જે ફરજ છે, તેને કરવી જોઇએ. મને આજ પહેલા રાજકારણ સમજાયું નહોતું, પરંતુ મોદીજીએ દેશને સંભાળ્યો ત્યારથી દેશની દશા-દિશા બદલાઈ ગઈ છે. મારા હૃદય અને મગજમાં જે થાય છે તે કરું છું.

5 રાજ્યોમાં થનાર વિધાનસભા ચૂંટણી વચ્ચે અરુણ ગોવિલની ભાજપમાં એન્ટ્રી ખાસ માનવામાં આવી રહી છે. જોકે પાર્ટીમાં અરુણ ગોવિલની જવાબદારી શું હશે, તે હજુ સ્પષ્ટ નથી. અનુમાન છે કે ગોવિલ ભાજપની સભ્યતા ધારણ કર્યા પછી વિધાનસભા ચૂંટણી લડી શકે છે, જોકે આ અંગે પાર્ટી અથવા પોતે ગોવિલ તરફથી કોઇ નિવેદન સામે નથી આવ્યું

Related posts

‘ચંદ્રયાન-૩’નું આજે બપોરે ૨.૩૫ કલાકે શ્રી હરિકોટાથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

પાકિસ્તાન દ્વારા ગત રાત્રે ભારતના 13 જેટલા સૈન્ય ઠેકાણાં પર ડ્રોન અને મિસાઇલોથી હુમલા કર્યા

Ahmedabad Samay

ભાજપ ઉમેદવાર અમિતભાઈ  શાહે અમદાવાદના નરોડા વિસ્તારમાં જનસભાને સંબોધન કર્યું

Ahmedabad Samay

વન નેશન-વન ઈલેક્શન બિલ માટે જેપીસીની રચના કરવામાં આવી

Ahmedabad Samay

મારુતિ લોન્ચ કરશે ઇલેક્ટ્રિક મારુતિ 800

Ahmedabad Samay

ચોમાસુ સત્ર: વિપક્ષે કરી નારેબાજી, હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો