June 23, 2026
રાજકારણદેશ

અરુણ ગોવિલે ભગવો ધારણ કર્યો, રામાયણ માં શ્રી રામ બનેલા અરુણ ગોવિલ ભાજપમાં જોડાયા

મશહૂર  અભિનેતા અરુણ ગોવિલ ભાજપમાં સામેલ થઇ ગયા છે. રામાનંદ સાગરના સીરિયલ ‘રામાયણ’માં તેમણે ભગવાન રામની ભૂમિકા ભજવી હતી. અરુણ ગોવિલે દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં પાર્ટીની સભ્યતા મેળવી છે.

ભાજપમાં સામેલ થયા પછી અરુણ ગોવિલે જણાવ્યું કે આ સમયે આપણી જે ફરજ છે, તેને કરવી જોઇએ. મને આજ પહેલા રાજકારણ સમજાયું નહોતું, પરંતુ મોદીજીએ દેશને સંભાળ્યો ત્યારથી દેશની દશા-દિશા બદલાઈ ગઈ છે. મારા હૃદય અને મગજમાં જે થાય છે તે કરું છું.

5 રાજ્યોમાં થનાર વિધાનસભા ચૂંટણી વચ્ચે અરુણ ગોવિલની ભાજપમાં એન્ટ્રી ખાસ માનવામાં આવી રહી છે. જોકે પાર્ટીમાં અરુણ ગોવિલની જવાબદારી શું હશે, તે હજુ સ્પષ્ટ નથી. અનુમાન છે કે ગોવિલ ભાજપની સભ્યતા ધારણ કર્યા પછી વિધાનસભા ચૂંટણી લડી શકે છે, જોકે આ અંગે પાર્ટી અથવા પોતે ગોવિલ તરફથી કોઇ નિવેદન સામે નથી આવ્યું

Related posts

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મોટા માથાના નેતાઓએ ચૂંટણી લડવા કહી દીધું “ના”

Ahmedabad Samay

દ્વારકાની કમાન ગૃહ મંત્રીએ સંભાળી, વાવાઝોડાના કારણે નિચાણવાળા વિસ્તારના 1,100 પરીવારને ખસેડાયા, દ્વારકાથી 400 કિમી દૂર બિપોરજોય

Ahmedabad Samay

બિહાર ઇલેક્શન વચ્ચે માર્કેટ ખુલતા જ સેન્સેક્સ 352 પોઈન્ટ તૂટ્યો

Ahmedabad Samay

ખેડૂત આંદોલનમાં બાજ પક્ષી બન્યું આકર્ષણનું કેન્દ્ર

Ahmedabad Samay

રાહુલ ગાંધી: નરેન્‍દ્રભાઇ મોદીએ તેમનું અપમાન કર્યું છે.

Ahmedabad Samay

હિમન્તા બિસ્વા સરકારની ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે આ બીજી મોટી કાર્યવાહી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો