મશહૂર અભિનેતા અરુણ ગોવિલ ભાજપમાં સામેલ થઇ ગયા છે. રામાનંદ સાગરના સીરિયલ ‘રામાયણ’માં તેમણે ભગવાન રામની ભૂમિકા ભજવી હતી. અરુણ ગોવિલે દિલ્હીમાં ભાજપ કાર્યાલયમાં પાર્ટીની સભ્યતા મેળવી છે.
ભાજપમાં સામેલ થયા પછી અરુણ ગોવિલે જણાવ્યું કે આ સમયે આપણી જે ફરજ છે, તેને કરવી જોઇએ. મને આજ પહેલા રાજકારણ સમજાયું નહોતું, પરંતુ મોદીજીએ દેશને સંભાળ્યો ત્યારથી દેશની દશા-દિશા બદલાઈ ગઈ છે. મારા હૃદય અને મગજમાં જે થાય છે તે કરું છું.
5 રાજ્યોમાં થનાર વિધાનસભા ચૂંટણી વચ્ચે અરુણ ગોવિલની ભાજપમાં એન્ટ્રી ખાસ માનવામાં આવી રહી છે. જોકે પાર્ટીમાં અરુણ ગોવિલની જવાબદારી શું હશે, તે હજુ સ્પષ્ટ નથી. અનુમાન છે કે ગોવિલ ભાજપની સભ્યતા ધારણ કર્યા પછી વિધાનસભા ચૂંટણી લડી શકે છે, જોકે આ અંગે પાર્ટી અથવા પોતે ગોવિલ તરફથી કોઇ નિવેદન સામે નથી આવ્યું
