ઇલેક્શન દરમિયાન પોલીસ ખાતાનએ કરોડો રૂપિયાનું નુકશાન કર્યું છે. પોલીસે ઇલેક્શનમાં કરોડો રૂપિયા જતા કર્યા, આમ જનતા સાથે કરેલા સખ્તાઈ પૂર્વક વર્તન નેતા સાથે કરત તો પોલીસ ને થતી કરોડો રૂપિયાના ની કમાણી પરંતુ પોલીસે કરોડો રૂપિયાનું નુકશાન કરી બેઠી છે.
કેવી રીતે કર્યું પોલીસે કરોડો રૂપિયાનો નુકશાન.
કોરોના કાળ વચ્ચે ચૂંટણી યોજવામાં આવી હતી તેવા સમયે મનપા માં ૪૯ વોર્ડ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં દરેક વોર્ડમાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પૂરતા કાર્યલય ખોલવામાં આવ્યા હતા જેમાં મોડી રાત સુધી નેતાઓ અને તેમના સમર્થકો, કાર્યકરો એકઠા થતા હતા અને આ તમામ કાર્યલય પર કોરોના ની કોઈએ પણ ગાઈડલાઇન નું પાલન નહતું કર્યું નકોઈ સોશિયલ ડિસ્ટનસ, નકોઈ માસ્ક બધા બે ફામ ફરતા હતા ઉલટાનું પોલીસ ને તેમની રેલીઓ માં સુરક્ષા પણ પ્રદાન કરાતી હતી હજારોની સંખ્યામાં જન સમ્પર્ક કરવામાં આવતો અને સભાઓ યોજવામાં આવતી ,
કાર્યલય પર કાર્યકર્તાઓ ઓછામાં ઓછા ૬૦-૭૦ લોકો હાજર રહેતા, જો એક કાર્યલય પર માસ્ક વગરના લોકોને દંડ ફટકારતા તો પણ ૧૦૦૦×૬૦=૬૦,૦૦૦ એક પાર્ટીના કાર્યલય પરથી, જો ભાજપ , કોંગ્રેસ અને અન્ય પાર્ટીના કાર્યલય એમ ખાલી ૦૩ અલગ અલગ પાર્ટીના કાર્યલય પર દંડ વસુલાત તો લમસમ ૬૦,૦૦૦×૩=૧૮૦,૦૦૦ નો દંડ વસુલાત અને જો ઈમાનદારી થી તમામ ૪૯ વોર્ડના ૩-૩ કાર્યાલયો પરથી દંડ વસુલાત તો લમસમ ૧૮૦,૦૦૦×૪૯=૮,૮૨૦,૦૦૦ દંડ વસુલાત અને આ તો ફક્ત એકજ દિવસનો હિસાબ છે જો ચૂંટણીના તમામ દિવસોમાં આ કાર્ય કરતો અંદાજીત ૮,૮૨૦,૦૦૦ રૂ. પોલીસને આવક થાત, આ તો માત્ર કાર્યલય ની ગણતરી છે જો તમામ પાર્ટીઓ ના રેલી માં માસ્ક વિના ના લોકોને દંડ ફટકારત તો કરોડો રૂપિયા દંડ એકત્રિત થાત અને જો વધુ સારી રીતે ફરજ બજાવત તો જાહેર સભામાં તો હજારોની સંખ્યામાં કાર્યકરો માસ્ક વગર ઝડપાત તો એક સભામાં ઓછામાં ઓછા ૧૦૦ કાર્યકરો ને દંડ ફટકારત તો પણ ૧૦૦૦×૧૦૦=૧૦૦,૦૦૦ દંડ એકત્રિત થાત, આ તમામ ગણતરી તો માત્ર એકજ દિવસની છે જો ઇલેક્શન ના પરિણામ સુુધી દંડ ફટકારત તો અંદાજો ન લગાવી શકાય તેટલી આવક થાત.
પરંતુ પોલીસે પૈસા વાળા નેતાઓ પાસેથી દંડ ન વસુલ્યું અને ગરીબ અને નોકરિયાત વર્ગ પાસે માસ્ક થોડું પણ ઉપર નીચે હોય તો પણ સખ્તાઈ પૂર્વક દંડ વસુલતા હતા જો આજ સખ્તાઈ પૂર્વક નેતાશ્રી પાસે વર્તત તો આજ દિન સુધી કરોડો રૂપિયાની પોલીસને આવક થાત એટલી આવક થાત કે નોટો ની ગણતરી કરવા મશીન ની જરૂર પડત.
પરંતુ આમાં કોઈ પોલીસ વાળાનો વાંક પણ નથી જો પોલીસ જવાનો ને પુરે પુરી સતા સાથે છૂટ આપવામાં આવત તો આ દંડ વસૂલી કરી શકત એટલુંજ નહિ અમદાવાદ માંથી મોટા મોટા ગુન્હાઓ નો પણ સફાયો કરી શકે તેવી એક એક પોલીસ જવાનમાં ક્ષમતા છે બસ તેમને એક વાર છુટ આપવી જોઈએ
