March 24, 2026
ગુજરાત

કોરોનાના દર્દીઓની સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શન્સનો પુરતો જથ્થો ઉપલબ્ધ

બુધવારે એક જ દિવસમાં રાજ્યમાં 37,507 રેમડેસિવિર  ઇન્જેક્શન્સ બજારમાં મુકવામાં આવ્યા છે. એટલું જ નહીં સરકારી હોસ્પિટલો માટે વધુ 35,000 જેટલા રેમડેસિવિર  ઇન્જેક્શન્સનો  પુરવઠો મળી ગયો છે. એટલે  હવે ગુજરાતમાં ક્યાંય રેમડેસિવિર  ઇન્જેક્શન્સની  તંગી ન પડે એવું આયોજન કરાયું છે.
ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. હેમંત કોશિયાએ  જણાવ્યું હતું કે, રેમડેસિવિર  ઇન્જેક્શનની  જરૂરિયાત મુજબનો જથ્થો ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારે સઘન પ્રયત્નો હાથ ધર્યા હતા, જેના પરિણામ સ્વરૂપે  સમગ્ર ગુજરાત માટે  રેમડેસિવિર  ઇન્જેક્શન્સનો સપ્લાય મળી રહ્યો છે.

અમદાવાદમાં  એક જ દિવસમાં 18,000  થી વધારે રેમડેસિવિર  ઇન્જેક્શન્સનો ટ્રેડ સપ્લાય કરાયો છે. જ્યારે સુરતમાં 6,706,  વડોદરામાં 4,151 અને રાજકોટના બજારોમાં 3,878 રેમડેસિવિર  ઇન્જેક્શન્સ  પહોંચ્યા છે. આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં જરૂરિયાત મુજબનો જથ્થો  પહોંચતો કરવામાં આવ્યો છે.

રેમડેસિવિર ઇન્જેક્શન્સની ક્યાંય અછત ન વર્તાય તે માટે રાજ્ય સરકાર પરિસ્થિતિની સતત સમીક્ષા કરી રહી છે. આરોગ્ય વિભાગને  વધુ 35,000 ઇન્જેક્શન્સનો જથ્થો મળ્યો છે, જે જરૂરિયાત મુજબ જે તે જિલ્લાઓમાં પહોંચાડવામાં આવ્યો છે. આગામી દિવસોમાં પણ ગુજરાતમાં રેમડેસિવિર ઇન્જેક્શન્સની કોઈ તંગી ન વર્તાય તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે એમ શ્રી ડૉ. હેમંત કોશિયાએ જણાવ્યું હતું

Related posts

૨૧મી સદીના પડકારોને અનુરૂપ સુધારાની આવશ્‍યકતા જણાવી ઉમેરેલ કે આ યુનિવર્સિટી દેશભરમાં વિસ્‍તરશે:વડાપ્રધાન મોદી

Ahmedabad Samay

હરિઓમ વિદ્યાલય ખોખરા મણિનગર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

જીગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર ભગતસિંહની જયંતીના પ્રસંગે કોંગ્રેસમાં જોડાયા

Ahmedabad Samay

રાજ્ય સરકાર દ્વારા હોળી ધૂળેટીના તહેવાર અંગે ગાઇડલાઇન જાહેર કરી

Ahmedabad Samay

સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી ગાંધીનગરથી પ્રેસ કોન્ફરન્સ કરશે

Ahmedabad Samay

Gtpl બ્રોડ બેન્ડ ની ખરાબ સર્વિ થી ગ્રાહક પરેશાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો