June 24, 2026
ગુજરાત

જીસીએસ હોસ્પિટલ દ્વારા કરોડરજ્જુ-મણકાને લગતી તકલીફો માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ

કરોડરજ્જુ-મણકાને લગતી તકલીફો માટે દર્દીઓને સમયસર અને સંપૂર્ણ રીતે સારવાર મળી રહે તે હેતુથી જીસીએસ હોસ્પિટલ દ્વારા 25 ઓક્ટોબર થી 30 ઓક્ટોબર સુધી નિ:શુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જીસીએસ હોસ્પિટલના કરોડરજ્જુના નિષ્ણાત સુપર-સ્પેશીયાલીસ્ટ ડોક્ટરો દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન મળશે.

આ નિ:શુલ્ક કેમ્પમાં સ્પાઇન સર્જન ડો. જવલંત પટેલ, ડો. સાગર શર્મા અને ડો. શર્વિલ ગજ્જર દ્વારા દર્દીઓને માર્ગદર્શન મળશે. આ કેમ્પમાં કરોડરજ્જુને લગતી તકલીફો જેવી કે કમર અને ડોકનો દુખાવો, મણકાના ફેકચર, ગાદીમાં ઘસારો, ગાદી ખસી જવી, ગાંઠ (સ્પાઈનલ કોર્ડ ટ્યુમર), જન્મજાત ખોડખાંપણ-ઈજા-ગાંઠ, હાથપગમાં આવતી કમજોરી, ઝણઝણાટી, કરોડરજ્જુનો ટી.બી. અને કરોડરજ્જુને લગતી અન્ય બીમારીઓ વિષે માર્ગદર્શન મળશે તથા તેમની સલાહ મુજબ શ્વેતકણો, સુગર, પેશાબ, ક્રિએટિનની નિ:શુલ્ક તપાસ થશે તેમજ અન્ય રિપોર્ટ પણ રાહતદરે કરી આપવામાં આવશે.
આ કેમ્પમાં ભાગ લેવા દર્દીઓ 93135 67107 / 9228102019 પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

જીસીએસ હોસ્પિટલમાં બધી જ જનરલ અને સુપર-સ્પેશિયાલિટીઓમાં દર્દીઓની સુરક્ષિત સારવાર નિયમત રીતે ઉપલબ્ધ છે. જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે

Related posts

અમદાવાદના નવા મેયર તરીકે પ્રતિભા જૈને નિમણુંક કરવામાં આવ્યા

Ahmedabad Samay

અંતરીક્ષમાં ફસાયેલ સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી ધરતીપર સુરક્ષિત અને વહેલા પરત ફરે તેમાટે માનવ અધિકાર ગ્રુપ દ્વારા સર્વે ધર્મ પ્રાથના સભા યોજવામાં આવી

Ahmedabad Samay

મેઘાણીનગરમાં વહુને ફીનાઇલ પીવડાવી મારવાના કિસ્સામાં યોગ્ય કાર્યવાહી નથતા, ગુન્હેગાર બન્યા વધુ બેફામ, વારંવાર ઝઘડો અને માનસિક ત્રાસ વધુ આપતા ફરી ફરિયાદ કરાઇ

Ahmedabad Samay

નવા વર્ષમા સામાન્ય માણસ પર મોંઘવારીનો વધુ માર પડી શકે છે. બેંકિંગ ચાર્જથી લઈને એલપીજી સિલિન્ડરની કિંમતમાં થશે વધારો

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો-2023નું ઉદ્દઘાટન કર્યુ,જાણો ફલાવર શો વિશેની તમામ માહિતી

Ahmedabad Samay

જયપુરના ફુલેરામાં આવેલા ગુરુદ્વારમાં આવેલ દુકાનદારોને વણઝારા સમાજની ચીમકી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો