August 7, 2026
ગુજરાતઅપરાધ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બેદરકારી આવી સામે, ગુમ થયેલ કોવિડ પેસેન્ટનું મૃતદેહ હોસ્પિટલના જ બાથરૂમ માંથી મળી આવી

હાલ કોરોના કાળ એટલી તેજ રફતારે વધી રહ્યો છે તેવામાં લોકો કોરોના થી બચવા અને સારવાર લેવા હોસ્પિટલમાં જઇ રહ્યા છે તેવામાં હોસ્પિટલમાં ગયા પછી પણ લોકો રામ ભરોસે છે તેવી સ્થિતિ છે કોરોના હોવાના કારણે તેમના સગા સંબધીઓને પણ મળવા નથી દેવતા તેમના દર્દી સાથે શુ થઇ રહ્યું છે તે ખબરજ નથી પડતી.

તેવામાં હોસ્પિટલોની બેદરકારીઓ પણ એક પછી એક સામે આવી રહી છે કોરોનાની સારવાર લેતા લેતા મૃત્યુ પામેલાનું મૃત શરીર બીજાને અપાઈ જાય છે, જે સાજા હોય તેમને મૃત જાહેરી બીજાનું મૃત શરીર આપી દેવામાં આવે છે તો ક્યારેક મૃતકને જીવીત બતાવવામાં આવે છે.
તેવામાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વધુ એક બદરકારી ભર્યો કિસ્સો સામે આવ્યો છે. ૦૬/૦૪/૨૦૨૧ ના રોજ અશ્વિન કનોજીયા સાથે તેમના પરિવાર જનો સાથે સારી રીતે વાત ચીત કરવામાં આવી અને પૂર્ણ સ્વસ્થ જોવા પણ મળ્યા હતા પરંતુ એ વાત તેમના પરિવાર જનો સાથેની છેલ્લી વાત હતી. ત્યાર બાદ તેવો બે દિવસથી અશ્વિન કનોજીયા  દર્દીનો સંપર્ક નહી થતા તેના પરિવારજનોને વારંવાર હોસ્પિટલ તંત્રનો સંપર્ક કર્યો હતો. જો કે તે દર્દી મળી આવ્યો નહોતો ત્યાર બાદ પોલીસ સ્ટેશનમાં પરિવાર દ્વારા ગુમ થયેલાની ફરિયાદ નોંધાઇ હતી અને પોલીસ પણ તેમની શોધમાં લાગી ગઇ હતી

 

ત્રણ દિવસ બાદ શોધખોળ કરતા દર્દીનું મૃતદેહ સિવિલ હોસ્પિટલના જ બાથરૂમ માંથી મળી આવતા હોબાળો મચી ગયો હતો.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીના સગાઓનો જમાવડો થયો હતો. તેમણે સિવિલ હોસ્પિટલનાં સ્ટાફ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. દર્દીઓના સગાનો હોબાળો જોઇને સ્થાનિક પોલીસ દોડી આવી હતી. આરએમઓની ઓફીસ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી.

દર્દીની લાશ બાથરૂમ માંથી મળી આવતા સિવિલ હોસ્પિટલની ગંભીર બીમારી સામે આવી હતી.

Related posts

ભાજપ અને કોંગ્રેસ ભાડા મુદ્દે લડતી રહી અને NCP ના મહામંત્રી નિકુલસિંહ તોમર એ પરપ્રાંતીઓ માટે નિઃશુલ્ક બસની સુવિધા કરી પ્રવાસીઓ ને રવાન કર્યા

Ahmedabad Samay

જોઇન્ટ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરીના ફરજ નિષ્ઠા અંગે સીપી અને ગૃહ મંત્રાલય પણ ખુશ

Ahmedabad Samay

ઓલ ઇન્ડિયા ઘનગર સમાજ મહાસંઘ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સ્માહરો યોજાયો

Ahmedabad Samay

અમદાવાદ: સુદાનથી 56 ગુજરાતીઓ આજે અમદાવાદ પહોંચ્યા, ગૃહ રાજ્યમંત્રીએ પુષ્પ આપી સ્વાગત કર્યું

Ahmedabad Samay

સુપર સ્પ્રેડરના ટેસ્ટ કરવા પર સરકાર પર અર્જુન મોઢવાડીયા એ સવાલ ઉઠાવ્યા, જ્યારે સુપર સ્પ્રેડર તરીકે તમામ પક્ષના નેતા આવી જાય છે

Ahmedabad Samay

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વસ્ત્રાપુર અંધ જન મંડળ ની અંધ મહીલા ઓ સાથે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો