
હાલ કોરોના કાળ એટલી તેજ રફતારે વધી રહ્યો છે તેવામાં લોકો કોરોના થી બચવા અને સારવાર લેવા હોસ્પિટલમાં જઇ રહ્યા છે તેવામાં હોસ્પિટલમાં ગયા પછી પણ લોકો રામ ભરોસે છે તેવી સ્થિતિ છે કોરોના હોવાના કારણે તેમના સગા સંબધીઓને પણ મળવા નથી દેવતા તેમના દર્દી સાથે શુ થઇ રહ્યું છે તે ખબરજ નથી પડતી.
તેવામાં હોસ્પિટલોની બેદરકારીઓ પણ એક પછી એક સામે આવી રહી છે કોરોનાની સારવાર લેતા લેતા મૃત્યુ પામેલાનું મૃત શરીર બીજાને અપાઈ જાય છે, જે સાજા હોય તેમને મૃત જાહેરી બીજાનું મૃત શરીર આપી દેવામાં આવે છે તો ક્યારેક મૃતકને જીવીત બતાવવામાં આવે છે.
તેવામાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વધુ એક બદરકારી ભર્યો કિસ્સો સામે આવ્યો છે. ૦૬/૦૪/૨૦૨૧ ના રોજ અશ્વિન કનોજીયા સાથે તેમના પરિવાર જનો સાથે સારી રીતે વાત ચીત કરવામાં આવી અને પૂર્ણ સ્વસ્થ જોવા પણ મળ્યા હતા પરંતુ એ વાત તેમના પરિવાર જનો સાથેની છેલ્લી વાત હતી. ત્યાર બાદ તેવો બે દિવસથી અશ્વિન કનોજીયા દર્દીનો સંપર્ક નહી થતા તેના પરિવારજનોને વારંવાર હોસ્પિટલ તંત્રનો સંપર્ક કર્યો હતો. જો કે તે દર્દી મળી આવ્યો નહોતો ત્યાર બાદ પોલીસ સ્ટેશનમાં પરિવાર દ્વારા ગુમ થયેલાની ફરિયાદ નોંધાઇ હતી અને પોલીસ પણ તેમની શોધમાં લાગી ગઇ હતી
ત્રણ દિવસ બાદ શોધખોળ કરતા દર્દીનું મૃતદેહ સિવિલ હોસ્પિટલના જ બાથરૂમ માંથી મળી આવતા હોબાળો મચી ગયો હતો.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીના સગાઓનો જમાવડો થયો હતો. તેમણે સિવિલ હોસ્પિટલનાં સ્ટાફ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. દર્દીઓના સગાનો હોબાળો જોઇને સ્થાનિક પોલીસ દોડી આવી હતી. આરએમઓની ઓફીસ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી.
દર્દીની લાશ બાથરૂમ માંથી મળી આવતા સિવિલ હોસ્પિટલની ગંભીર બીમારી સામે આવી હતી.
