May 7, 2026
ગુજરાતઅપરાધ

ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બેદરકારી આવી સામે, ગુમ થયેલ કોવિડ પેસેન્ટનું મૃતદેહ હોસ્પિટલના જ બાથરૂમ માંથી મળી આવી

હાલ કોરોના કાળ એટલી તેજ રફતારે વધી રહ્યો છે તેવામાં લોકો કોરોના થી બચવા અને સારવાર લેવા હોસ્પિટલમાં જઇ રહ્યા છે તેવામાં હોસ્પિટલમાં ગયા પછી પણ લોકો રામ ભરોસે છે તેવી સ્થિતિ છે કોરોના હોવાના કારણે તેમના સગા સંબધીઓને પણ મળવા નથી દેવતા તેમના દર્દી સાથે શુ થઇ રહ્યું છે તે ખબરજ નથી પડતી.

તેવામાં હોસ્પિટલોની બેદરકારીઓ પણ એક પછી એક સામે આવી રહી છે કોરોનાની સારવાર લેતા લેતા મૃત્યુ પામેલાનું મૃત શરીર બીજાને અપાઈ જાય છે, જે સાજા હોય તેમને મૃત જાહેરી બીજાનું મૃત શરીર આપી દેવામાં આવે છે તો ક્યારેક મૃતકને જીવીત બતાવવામાં આવે છે.
તેવામાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વધુ એક બદરકારી ભર્યો કિસ્સો સામે આવ્યો છે. ૦૬/૦૪/૨૦૨૧ ના રોજ અશ્વિન કનોજીયા સાથે તેમના પરિવાર જનો સાથે સારી રીતે વાત ચીત કરવામાં આવી અને પૂર્ણ સ્વસ્થ જોવા પણ મળ્યા હતા પરંતુ એ વાત તેમના પરિવાર જનો સાથેની છેલ્લી વાત હતી. ત્યાર બાદ તેવો બે દિવસથી અશ્વિન કનોજીયા  દર્દીનો સંપર્ક નહી થતા તેના પરિવારજનોને વારંવાર હોસ્પિટલ તંત્રનો સંપર્ક કર્યો હતો. જો કે તે દર્દી મળી આવ્યો નહોતો ત્યાર બાદ પોલીસ સ્ટેશનમાં પરિવાર દ્વારા ગુમ થયેલાની ફરિયાદ નોંધાઇ હતી અને પોલીસ પણ તેમની શોધમાં લાગી ગઇ હતી

 

ત્રણ દિવસ બાદ શોધખોળ કરતા દર્દીનું મૃતદેહ સિવિલ હોસ્પિટલના જ બાથરૂમ માંથી મળી આવતા હોબાળો મચી ગયો હતો.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીના સગાઓનો જમાવડો થયો હતો. તેમણે સિવિલ હોસ્પિટલનાં સ્ટાફ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. દર્દીઓના સગાનો હોબાળો જોઇને સ્થાનિક પોલીસ દોડી આવી હતી. આરએમઓની ઓફીસ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી.

દર્દીની લાશ બાથરૂમ માંથી મળી આવતા સિવિલ હોસ્પિટલની ગંભીર બીમારી સામે આવી હતી.

Related posts

અમદાવાદ – 15 ઑગસ્ટનો જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય પર્વનો કાર્યક્રમ સાણંદમાં ઉજવાશે

Ahmedabad Samay

નાશિક ધર્મ પરિવર્તનના ગંભીર આરોપોનો ખુલાસો,આ સમગ્ર કેસની માસ્ટરમાઈન્ડ તરીકે HR મેનેજર નિદા ખાનનું નામ સામે આવ્યું, અન્યની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

પેહલા કોલેજ ખુલશે ત્યારબાદ શાળા ખુલશે: ભુપેન્દ્રસિંહ ચુડાસમા

Ahmedabad Samay

મધ્યપ્રદેશ સરકારે કોરોનાને કારણે લગાવેલ તમામ પ્રતિબંધ હટાવ્યા, ગુજરાતમાં પણ માર્ચમાં કોરોના પ્રતિબંધોમાંથી રાહત મળી શકે છે

Ahmedabad Samay

બિપરજોય ચક્રવાત: ખાલી કરાવાઈ રહ્યા છે વિસ્તારો, ટ્રેનો રદ, જાણો અત્યાર સુધી શું-શું થયું

Ahmedabad Samay

અમદાવાદ – ઘાટલોડીયા, વાડજ સહિતના અમદાવાદમાં બની રહેલા ત્રણ બ્રિજોનું થશે ખાતમૂહુર્ત,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો