February 5, 2026
Other

ભક્તો નહિ કરી શકે દર્શન, કોરોના સંક્રમણ વધતા મોટા ભાગના મંદિરો થયા.

કોરોના સંક્રમણ વધતા અમદાવાદમાં આવેલુ શાહીબાગ સ્વામિનારાયણ મંદિર 30 એપ્રિલ સુધી હરીભક્તો માટે બંધ કરવામાં આવ્યુ છે. કોરોના સંક્રમણની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી 10 એપ્રિલ શનિવારથી 30 એપ્રિલ, 2021 શુક્રવાર સુધી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ અને તમામ હરિમંદિરોમાં દર્શન બંધ કરવામાં આવ્યા છે

અક્ષર ધામ મંદિર 9 એપ્રિલથી 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. કોરોના સંક્રમણ વધતા અક્ષરધામ મંદિર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

સોમનાથ મંદિરને પણ દર્શન માટે બંધ કરવામાં આવ્યુ છે. કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખી 11 એપ્રિલ રવિવારથી અન્ય નિર્ણય ના થાય ત્યા સુધી સોમનાથ મુખ્ય મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના અહલ્યાબાઇ મંદિર, શ્રીરામ મંદિર, લક્ષ્મીનારાયણ-ગીતા મંદિર, ભાલકા મંદિર, ભીડ ભંજન, ડભોડા હનુમાનજી મંદિર પણ દર્શનાર્થીઓ માટે દર્શન માટે બંધ કરવામાં આવે છે.

શ્રદ્ધાળુઓ ભગવાન સોમનાથજીની પૂજાવિધિ ટ્રસ્ટની વેબસાઇટ WWW.Somnath.org પરથી ઓનલાઇન નોંધાવી શકશે. તેમજ સુવર્ણ કળશ સહિતની પૂજા ઓનલાઇન કરાવી શકાશે, સોમનાથ ટ્રસ્ટના ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટ્રસ્ટી વેબસાઇટ પરથી સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાળુઓને દર્શન કરાવવામાં આવશે.

Related posts

26 મી જાન્યુઆરી 2026 , પ્રજાસત્તાક દિવસે પ્રથમ વખત GISFS કચેરી ખાતે ધ્વજવંદન કરાયું

Ahmedabad Samay

નરોડા ખાતે આવેલ DSC સ્કૂલ દ્વારા ૭૭મા સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામા આવી

Ahmedabad Samay

મંગળ મજબૂત લાભ આપશે, આર્થિક સ્થિતિ મજબૂત થશે; ભાઈ-બહેન સાથે થઈ શકે છે વિવાદ

Ahmedabad Samay

ભુલાભાઈ પાર્ક વિસ્‍તાર પાસે વિદ્યાર્થિનીની છેડતી કરવી એક રોમિયોને ભારે પડી,સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

Ahmedabad Samay

વટવા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલ ની ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની

Ahmedabad Samay

રાજસ્થાન યુવા મંચ દ્વારા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સ્વ. શ્રી સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો