May 9, 2026
ગુજરાતદેશ

કેનેડાની કંપની સેનોટાઇઝે દાવો, નોઝ સ્પ્રે ૯૯.૯૯ ટકા કોરોના વાયરસને મારી નાંખે છે

કેનેડાની કંપની સેનોટાઇઝે દાવો કર્યો છે કે નોઝ સ્પ્રે બનાવ્યુ છે જે ૯૯.૯૯ ટકા કોરોના વાયરસને મારી નાંખે છે. કંપનીએ જણાવ્યું છે કે તેમનો આ સ્પ્રે કોરોનાથી બિમાર લોકોનો ઇલાજ કરવામાં કામ કરશે. સાથે જ મહામારીના લક્ષણોની ગંભીરતાથી પણ બચાવ થશે.

નાકમાં નાખવાનો સ્પ્રે હવામાં જ કોરોનાવાયરસને ખત્મ કરવાનું  શરૂ કરી દીધુ છે. આ સિવાય નાકના રસ્તાથી તે ફેફસા સુધી તેને સાફ કરે છે. તેનું પરિક્ષણ અમેરિકા અને બ્રિટનમાં સફળ રહ્યું છે. સેનોટાઇઝનો દાવો છે કે જે લોકોએ તેમનો સ્પ્રે ટ્રાયલ્સ દરમિયાન ઉપયોગમાં લીધો તે લોકોમાં સફળ રહ્યું છે.

યુકે ટ્રાયલ્સના ચીફ ઇન્વેસ્ટીગેટરે કહ્યું કે કોરોના મહામારી વિરુદ્ઘ ચાલી રહેલ આ લડાઇમાં સ્પ્રે સૌથી ખતરનાક હથિયાર સાબિત થશે. આ એક આંદોલનકારી દવા સાબિત થશે. તમને જણાવી દઇએ કે દુનિયાભરમાં કોરોના વિરુદ્ઘ નાકથી નાંખવાની આ દવાને લઇને રિસર્ચ ચાલી રહ્યું છે.

હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે કોરોફ્લુ નામની વેકિસન બનાવી રહ્યું છે. કોરોના વાયરસના ઇલાજ માટે બનાવવામાં આવતી આ વેકિસન સિરીંજથી નહી પરંતુ એક ટપકુ નાકમાં નાખવામાં આવશે. ભારત બાયોટેકે આ વેકિસનને અમેરિકા, જપાન અને યુરોપમાં ડિસ્ટ્રીબ્યુટ કરવા માટેની વાત પણ ચાલી રહી છે.

Related posts

રેમડેસીવીર પાછળના ભાગો ડેકસામેથાસોન પણ એજ કામ કરે છે, સસ્તી અને સરળતાથી દરેક મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ

Ahmedabad Samay

રાજકોટવાસીઓની મુશ્કેલી વધી સાંઢીયા પુલ તરફથી માધાપર ચોકડીએ જવા અઢી કિમિનું ચક્કરકાપવું પડશે

Ahmedabad Samay

પોલીસ કોન્સ્ટેબલે લાંચ સહિત દિવાળી બોનસની પણ ઉઘરાણી કરતા ACB ના હાથે ઝડપાયો

Ahmedabad Samay

સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ કદ્દાવર કોળી આગેવાન સોમા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ

Ahmedabad Samay

અમદાવાદ જીલ્લાના દસક્રોઈ તાલુકા મા આંગણવાડી કેન્દ્રો માં પોષણ ટ્રેકર એપ્લીકેશન ની ટ્રેનીંગ જન સેવા કેન્દ્ર દ્વારા આપવામા આવી

Ahmedabad Samay

આપના મોબાઇલમાં આજે દેખાશે વોટ્સએપ “એપનું” સ્ટેટસ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો