June 24, 2026
ગુજરાતદેશ

કેનેડાની કંપની સેનોટાઇઝે દાવો, નોઝ સ્પ્રે ૯૯.૯૯ ટકા કોરોના વાયરસને મારી નાંખે છે

કેનેડાની કંપની સેનોટાઇઝે દાવો કર્યો છે કે નોઝ સ્પ્રે બનાવ્યુ છે જે ૯૯.૯૯ ટકા કોરોના વાયરસને મારી નાંખે છે. કંપનીએ જણાવ્યું છે કે તેમનો આ સ્પ્રે કોરોનાથી બિમાર લોકોનો ઇલાજ કરવામાં કામ કરશે. સાથે જ મહામારીના લક્ષણોની ગંભીરતાથી પણ બચાવ થશે.

નાકમાં નાખવાનો સ્પ્રે હવામાં જ કોરોનાવાયરસને ખત્મ કરવાનું  શરૂ કરી દીધુ છે. આ સિવાય નાકના રસ્તાથી તે ફેફસા સુધી તેને સાફ કરે છે. તેનું પરિક્ષણ અમેરિકા અને બ્રિટનમાં સફળ રહ્યું છે. સેનોટાઇઝનો દાવો છે કે જે લોકોએ તેમનો સ્પ્રે ટ્રાયલ્સ દરમિયાન ઉપયોગમાં લીધો તે લોકોમાં સફળ રહ્યું છે.

યુકે ટ્રાયલ્સના ચીફ ઇન્વેસ્ટીગેટરે કહ્યું કે કોરોના મહામારી વિરુદ્ઘ ચાલી રહેલ આ લડાઇમાં સ્પ્રે સૌથી ખતરનાક હથિયાર સાબિત થશે. આ એક આંદોલનકારી દવા સાબિત થશે. તમને જણાવી દઇએ કે દુનિયાભરમાં કોરોના વિરુદ્ઘ નાકથી નાંખવાની આ દવાને લઇને રિસર્ચ ચાલી રહ્યું છે.

હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે કોરોફ્લુ નામની વેકિસન બનાવી રહ્યું છે. કોરોના વાયરસના ઇલાજ માટે બનાવવામાં આવતી આ વેકિસન સિરીંજથી નહી પરંતુ એક ટપકુ નાકમાં નાખવામાં આવશે. ભારત બાયોટેકે આ વેકિસનને અમેરિકા, જપાન અને યુરોપમાં ડિસ્ટ્રીબ્યુટ કરવા માટેની વાત પણ ચાલી રહી છે.

Related posts

વરસાદની આગાહીને પગલે અમરેલીમાં આવેલા જાફરાબાદના માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ પણ આપવામાં આવી છે.

Ahmedabad Samay

જમ્મુમાં સુરક્ષાદળને મોટી સફળતા, હિજબુલના મોટા કામન્ડરનો કર્યો ખાતમો

Ahmedabad Samay

અર્બન બુલ્સે કવિન્સ કપ ગર્લ ફૂટબોલ પોતાના નામે કર્યું

Ahmedabad Samay

રાજસ્થાનના ફલોદી જિલ્લાના માતોડા વિસ્તારમાં રવિવારે યાત્રાળુઓને એક ભયાનક માર્ગ અકસ્માતમાં સર્જાયો,અંદાજીત ૧૮ લોકોના મોત

Ahmedabad Samay

કર્ણાટકના ચિત્તદુર્ગમાં ભયાનક માર્ગ અકસ્‍માતમાં ઓછામાં ઓછા ૨૦ લોકોના મોતની આશંકા

Ahmedabad Samay

સુરતમાં ડાયમંડ બુર્સનું નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે ૧૭મીએ લોકાર્પણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો