May 9, 2026
ગુજરાત

વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે વેકસીન લીધા પહેલા જરૂર રક્તદાન કરો : ભૈરવી લાખાણી

“લોહી” આપવા માટે, લોહીના સંબંધ ની જરૂર નથી હોતી.
શશીકુંજ દિવ્યાંગ ક્લબ અને શ્રી જલારામ અભ્યુદય સદ્ભાવના ટ્રસ્ટ (થેલેસેમિયા ડે કેર સેન્ટર) થેલેસેમિયા મેજર બાળકો માટે ઘણા વર્ષોથી કાર્યરત છે અને  આ બાળકો માટે શક્ય હોઈ એવી તમામ પ્રકારની સારવાર એમને વિના મૂલ્યે આપે છે.

સારવાર ના એક ભાગરૂપે  આ બાળકો માટે નિયમિતપણે લોહીની જરૂર પડતી હોઈ છે, અને આ માટે આજ સુધી લોકો તરફથી ખુબ જ સહયોગ મળ્યો છે

પરંતુ કોરોનાની આ મહામારી માં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે  ઘણા જ મોટા પ્રમાણમાં લોહીની અછત ઉભી થઇ છે જે ખુબ જ દુઃખદ વાત છે,  દરેક અથાગ પ્રયત્નો થકી આ તમામ બાળકો માટે લોહીની વ્યવસ્થા કરી રહ્યા છે છતાં પણ લોહી ઓછું પડી રહ્યું છે.

અમદાવાદના ખુબ જ જાણીતા અને સૌના લોકપ્રિય એવા આર.જે. કુણાલ (રેડીઓ મિર્ચી ૯૮.૩) જે  શશીકુંજ દિવ્યાંગ ક્લબ ના પણ ખુબ જ એક્ટીવ કમિટી મેમ્બર છે, આજે “વર્લ્ડ થેલેસેમિયા ડે” છે જેને લગતે.

શશીકુંજ દિવ્યાંગ ક્લબ ના ભૈરવી લાખાણી જણાવ્યું હતું કે  કુણાલ ના આ ખાસ વિડીયો દ્વારા બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છે કે આપ પોતે, આપના પરિવારના સભ્યો અને આપના મિત્ર વર્તુળમાં બધાને કોરોના વેક્સીન લેતા પહેલા અને પછી (સરકારી ગાઈડલાઈન પ્રમાણે) બ્લડ ડોનેશન માટે જાગૃત કરો જેથી આપણે કોઈનો જીવ બચાવી શકીએ. આ પ્રક્રિયામાં બ્લડ ડોનર ની સલામતી અમારી પ્રથમ પ્રાયોરીટી રહેશે, પ્લીઝ એના માટે આપ બેફિકર રેહશો.

વધુ માહિતી માટે આપ શ્રી જલારામ અભ્યુદય સદ્ભાવના ટ્રસ્ટ (થેલેસેમિયા ડે કેર સેન્ટર) ના બંને વડીલો ને નીચેના નંબર પર સંપર્ક કરી શકો :

Jitendrabhai Kariya  +91 9722 900 900

Bharatbhai Unadkat   +91 9925 542 762

આપના માનવતાભર્યા સહકારની અપેક્ષા સહ,
ભૈરવી યોગેશ લાખાણી તેમજ સમગ્ર શશીકુંજ પરિવાર

Related posts

દિવાળીમાં ટુર ઓપરેટરો અને ટ્રાયવેલર્સો નો નીકળ્યો દિવાળો

Ahmedabad Samay

અમદાવાદમાં પરત ફરતી વખતે ૭૨ નો RT-PCR ટેસ્ટ જરૂરી

Ahmedabad Samay

અમદાવાદમાં અષાઢી બીજના રોજ ક્રૂઝ થશે શરુ, સાબરમતી નદીની વચ્ચે બેસીને માણી શકાશે ભોજનની મજા

Ahmedabad Samay

અમદાવાદ – એસજી હાઈવે, સિંધુભવન રોડ પરના કેફેમાં પોલીસ, એસઓજીએ કર્યું સરપ્રાઈઝ ચેકિંગ

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા રાત્રે “ચા” નું વિતરણ કરવામાં આવ્યું.

Ahmedabad Samay

આજથી વિશ્વના સૌથી મોટા મહારસીકરણનો પ્રારંભ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો