June 24, 2026
ગુજરાત

વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે વેકસીન લીધા પહેલા જરૂર રક્તદાન કરો : ભૈરવી લાખાણી

“લોહી” આપવા માટે, લોહીના સંબંધ ની જરૂર નથી હોતી.
શશીકુંજ દિવ્યાંગ ક્લબ અને શ્રી જલારામ અભ્યુદય સદ્ભાવના ટ્રસ્ટ (થેલેસેમિયા ડે કેર સેન્ટર) થેલેસેમિયા મેજર બાળકો માટે ઘણા વર્ષોથી કાર્યરત છે અને  આ બાળકો માટે શક્ય હોઈ એવી તમામ પ્રકારની સારવાર એમને વિના મૂલ્યે આપે છે.

સારવાર ના એક ભાગરૂપે  આ બાળકો માટે નિયમિતપણે લોહીની જરૂર પડતી હોઈ છે, અને આ માટે આજ સુધી લોકો તરફથી ખુબ જ સહયોગ મળ્યો છે

પરંતુ કોરોનાની આ મહામારી માં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે  ઘણા જ મોટા પ્રમાણમાં લોહીની અછત ઉભી થઇ છે જે ખુબ જ દુઃખદ વાત છે,  દરેક અથાગ પ્રયત્નો થકી આ તમામ બાળકો માટે લોહીની વ્યવસ્થા કરી રહ્યા છે છતાં પણ લોહી ઓછું પડી રહ્યું છે.

અમદાવાદના ખુબ જ જાણીતા અને સૌના લોકપ્રિય એવા આર.જે. કુણાલ (રેડીઓ મિર્ચી ૯૮.૩) જે  શશીકુંજ દિવ્યાંગ ક્લબ ના પણ ખુબ જ એક્ટીવ કમિટી મેમ્બર છે, આજે “વર્લ્ડ થેલેસેમિયા ડે” છે જેને લગતે.

શશીકુંજ દિવ્યાંગ ક્લબ ના ભૈરવી લાખાણી જણાવ્યું હતું કે  કુણાલ ના આ ખાસ વિડીયો દ્વારા બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છે કે આપ પોતે, આપના પરિવારના સભ્યો અને આપના મિત્ર વર્તુળમાં બધાને કોરોના વેક્સીન લેતા પહેલા અને પછી (સરકારી ગાઈડલાઈન પ્રમાણે) બ્લડ ડોનેશન માટે જાગૃત કરો જેથી આપણે કોઈનો જીવ બચાવી શકીએ. આ પ્રક્રિયામાં બ્લડ ડોનર ની સલામતી અમારી પ્રથમ પ્રાયોરીટી રહેશે, પ્લીઝ એના માટે આપ બેફિકર રેહશો.

વધુ માહિતી માટે આપ શ્રી જલારામ અભ્યુદય સદ્ભાવના ટ્રસ્ટ (થેલેસેમિયા ડે કેર સેન્ટર) ના બંને વડીલો ને નીચેના નંબર પર સંપર્ક કરી શકો :

Jitendrabhai Kariya  +91 9722 900 900

Bharatbhai Unadkat   +91 9925 542 762

આપના માનવતાભર્યા સહકારની અપેક્ષા સહ,
ભૈરવી યોગેશ લાખાણી તેમજ સમગ્ર શશીકુંજ પરિવાર

Related posts

વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં આજે 6000થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

Ahmedabad Samay

શુ આપને ખબર છે શાસ્ત્રો અને વાસ્તુ શાસ્ત્ર બંનેમાં આસોપાલવના પાનનું વિશેષ મહત્વ વિશે ?

Ahmedabad Samay

કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના સભ્યો મરાઠી પહેરવેશમાં પહોંચ્યા છાવા ફિલ્મ નિહાળવા

Ahmedabad Samay

લવ જેહાદની વધતી જતી પ્રવૃત્તિને અંકુશમાં લાવા કાયદો ઘડાશે: પ્રદીપસિંહ જાડેજા

Ahmedabad Samay

અમદાવાદમાં શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ રહેશે.

Ahmedabad Samay

જાણો આ સપ્તાહનો રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા, તા-૨૬ જુલાઇ – ૦૧ ઓગષ્ટ ૨૦૨૧ નું રાશિફળ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો