May 9, 2026
ગુજરાત

વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે વેકસીન લીધા પહેલા જરૂર રક્તદાન કરો : ભૈરવી લાખાણી

“લોહી” આપવા માટે, લોહીના સંબંધ ની જરૂર નથી હોતી.
શશીકુંજ દિવ્યાંગ ક્લબ અને શ્રી જલારામ અભ્યુદય સદ્ભાવના ટ્રસ્ટ (થેલેસેમિયા ડે કેર સેન્ટર) થેલેસેમિયા મેજર બાળકો માટે ઘણા વર્ષોથી કાર્યરત છે અને  આ બાળકો માટે શક્ય હોઈ એવી તમામ પ્રકારની સારવાર એમને વિના મૂલ્યે આપે છે.

સારવાર ના એક ભાગરૂપે  આ બાળકો માટે નિયમિતપણે લોહીની જરૂર પડતી હોઈ છે, અને આ માટે આજ સુધી લોકો તરફથી ખુબ જ સહયોગ મળ્યો છે

પરંતુ કોરોનાની આ મહામારી માં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે  ઘણા જ મોટા પ્રમાણમાં લોહીની અછત ઉભી થઇ છે જે ખુબ જ દુઃખદ વાત છે,  દરેક અથાગ પ્રયત્નો થકી આ તમામ બાળકો માટે લોહીની વ્યવસ્થા કરી રહ્યા છે છતાં પણ લોહી ઓછું પડી રહ્યું છે.

અમદાવાદના ખુબ જ જાણીતા અને સૌના લોકપ્રિય એવા આર.જે. કુણાલ (રેડીઓ મિર્ચી ૯૮.૩) જે  શશીકુંજ દિવ્યાંગ ક્લબ ના પણ ખુબ જ એક્ટીવ કમિટી મેમ્બર છે, આજે “વર્લ્ડ થેલેસેમિયા ડે” છે જેને લગતે.

શશીકુંજ દિવ્યાંગ ક્લબ ના ભૈરવી લાખાણી જણાવ્યું હતું કે  કુણાલ ના આ ખાસ વિડીયો દ્વારા બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છે કે આપ પોતે, આપના પરિવારના સભ્યો અને આપના મિત્ર વર્તુળમાં બધાને કોરોના વેક્સીન લેતા પહેલા અને પછી (સરકારી ગાઈડલાઈન પ્રમાણે) બ્લડ ડોનેશન માટે જાગૃત કરો જેથી આપણે કોઈનો જીવ બચાવી શકીએ. આ પ્રક્રિયામાં બ્લડ ડોનર ની સલામતી અમારી પ્રથમ પ્રાયોરીટી રહેશે, પ્લીઝ એના માટે આપ બેફિકર રેહશો.

વધુ માહિતી માટે આપ શ્રી જલારામ અભ્યુદય સદ્ભાવના ટ્રસ્ટ (થેલેસેમિયા ડે કેર સેન્ટર) ના બંને વડીલો ને નીચેના નંબર પર સંપર્ક કરી શકો :

Jitendrabhai Kariya  +91 9722 900 900

Bharatbhai Unadkat   +91 9925 542 762

આપના માનવતાભર્યા સહકારની અપેક્ષા સહ,
ભૈરવી યોગેશ લાખાણી તેમજ સમગ્ર શશીકુંજ પરિવાર

Related posts

વાઇબ્રન્ટ ઉત્સવથી કેટલા લોકોને રોજગારી મળી તે જાહેર કરો:ડો. મનીષ દોશી

Ahmedabad Samay

અત્યાર સુધીમાં 84 ટકા કોલલેટર થયા ડાઉનલોડ, જાણો કેટલા ભરાયા સંમતિ પત્ર

Ahmedabad Samay

બાપુનગરના બાલા હનુમાન મંદિર પરિસરમાં રવિવારે ભવ્ય સંત સંમેલન અને ધર્મસભા યોજાઈ હતી

Ahmedabad Samay

અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનું સ્થળ અચાનક બદલાયું, પોલીસ સમક્ષ આયોજકો ઝૂક્યા! જાણો શું થયું?

Ahmedabad Samay

દૂધ – તેલ – ઘી – અનાજ – કઠોળ – શાકભાજી – મસાલા સહિતની બધી ચીજો મોંઘી થઇ

Ahmedabad Samay

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં બની ફાયરીંગની ઘટના, SOG દ્વારા ત્રણ આરોપીની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો