March 23, 2026
ગુજરાતરાજકારણ

ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ૧૧ જુલાઈએ ૧૨૨૦ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

“કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહના હસ્તે અમદાવાદ જિલ્લામાં 11 જુલાઈએ 1220 વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. અમદાવાદ જિલ્લાના સાણંદ,બાવળા અને દસક્રોઈ તાલુકામાં અંદાજે 34.93 કરોડથી વધુ કામોનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે કરાશે.

અમદાવાદ જિલ્લામાં થયેલા કુલ 1220 વિકાસકાર્યોમાં સાણંદ તાલુકાના 1062 કામ, બાવળા તાલુકાના 138 કામ અને દસક્રોઈ તાલુકાના 20 કામનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી રૂપિયા 32 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે, તેમજ 7.65 કરોડના નવા વિકાસલક્ષી કાર્યોની જાહેરાત પણ કરશે. ગાંધીનગર મતક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 કામોનું ખાતમુહુર્ત કરશે અને 17 જેટલા વિકાસકામોની જાહેરાત કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી સાણંદ તાલુકામાં નવનિર્મિત આંગણવાડી, રોડ-રસ્તાના કામ, પાણી-પુરવઠાને લગતાને વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત અનેક ગામડાઓમાં તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી પ્રાથમિક શાળાઓમાં કાર્યાન્વિત થનારા સ્માર્ટ ક્લાસરુમનું પણ લોકાર્પણ કરશે.

સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ પસંદગી પામેલા માણકોલ ગામમાં નવા બનનારા પંચાયત ઘરનું ખાતમુહૂર્ત પણ કરશે. આ ઉપરાંત ગ્રામ્ય પ્રજાની સુખાકારીમાં વૃદ્ધિ કરતા અનેકવિધ કામોની ખાતમુહૂર્ત કરશે.”

New up 01

Related posts

સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વરસાદ થશે:હવામાન વિભાગ

Ahmedabad Samay

ઓગસ્ટ મહિનામાં અમદાવાદમાં ગત વર્ષ કરતા ઓછો વરસાદ અત્યાર સુધી 24.40 ઈંચ વરસાદ નોંધાયો

Ahmedabad Samay

સૈજપુર વોર્ડના ઉમેદવારોને કરણી સેના દ્વારા મહારાણા પ્રતાપની ફોટો ફ્રેમ અપાઇ

Ahmedabad Samay

અમદાવાદનો વીર પુત્ર મેરઠમાં શહીદ

Ahmedabad Samay

SPS સિક્યુરિટી કમ્પનીમાં આવી મોટી ભરતી, જરૂરિયાતમંદ સુધી જરૂર પહોંચાડજો

Ahmedabad Samay

લોકડાઉન ૪.૦ ફક્ત હોટસ્પોટ વિસ્તાર માટે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો