May 9, 2026
ગુજરાતરાજકારણ

ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ૧૧ જુલાઈએ ૧૨૨૦ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

“કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહના હસ્તે અમદાવાદ જિલ્લામાં 11 જુલાઈએ 1220 વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. અમદાવાદ જિલ્લાના સાણંદ,બાવળા અને દસક્રોઈ તાલુકામાં અંદાજે 34.93 કરોડથી વધુ કામોનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે કરાશે.

અમદાવાદ જિલ્લામાં થયેલા કુલ 1220 વિકાસકાર્યોમાં સાણંદ તાલુકાના 1062 કામ, બાવળા તાલુકાના 138 કામ અને દસક્રોઈ તાલુકાના 20 કામનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી રૂપિયા 32 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરશે, તેમજ 7.65 કરોડના નવા વિકાસલક્ષી કાર્યોની જાહેરાત પણ કરશે. ગાંધીનગર મતક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 કામોનું ખાતમુહુર્ત કરશે અને 17 જેટલા વિકાસકામોની જાહેરાત કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી સાણંદ તાલુકામાં નવનિર્મિત આંગણવાડી, રોડ-રસ્તાના કામ, પાણી-પુરવઠાને લગતાને વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત અનેક ગામડાઓમાં તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી પ્રાથમિક શાળાઓમાં કાર્યાન્વિત થનારા સ્માર્ટ ક્લાસરુમનું પણ લોકાર્પણ કરશે.

સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ પસંદગી પામેલા માણકોલ ગામમાં નવા બનનારા પંચાયત ઘરનું ખાતમુહૂર્ત પણ કરશે. આ ઉપરાંત ગ્રામ્ય પ્રજાની સુખાકારીમાં વૃદ્ધિ કરતા અનેકવિધ કામોની ખાતમુહૂર્ત કરશે.”

New up 01

Related posts

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવાયો, વેકસીન નહીતો એન્ટ્રી નહિ

Ahmedabad Samay

પેટ્રોલ ડીઝલના ભાવમા ફરી એકવાર થયો વધારો

Ahmedabad Samay

દેશમાં આંશિક લોકડાઉન લગાવો :IMA

Ahmedabad Samay

સામાન્ય બાબતે દુકાનદારે વ્યક્તિ ઉપર છરી વડે હુમલો કર્યો

Ahmedabad Samay

અમદાવાદમાં લોકસભા ચુંટણી પહેલા પોલીસે પરવાના વાળા હથિયાર જમા કરી પેરામિલિટરી સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું

Ahmedabad Samay

ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કલાકારોને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો