August 8, 2026
દેશરાજકારણ

PM મોદીએ ૩૨ મિનિટમાં પ્રજા સંબોધનમાં બે મોટી જાહેરાત કરી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું  પોતાના 32 મિનિટમાં સંબોધનમાંબે મોટી જાહેરાત કરી છે. જેમાં પ્રથમ દેશના તમામ રાજ્યોને હવે કેન્દ્ર તરફથી મફત વૅક્સિન આપવામાં આવશે. રાજ્યોને હવે તેના માટે કોઈ ખર્ચો નહીં કરવો પડે. બીજું કે દેશના 80 કરોડ ગરીબ લોકોને નવેમ્બર એટલે કે દિવાળી સુધી મફત રાશન આપવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર અને આપણી લડાઈ હજુ ચાલુ જ છે. વિશ્વના અનેક દેશોની જેમ ભારત પણ આ લડાઈ દરમિયાન પીડામાંથી પસાર થયું છે. આપણામાંથી અનેક લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યાં છે. આવા તમામ પરિવારો પ્રત્યે મારી પૂરી સંવેદના છે. છેલ્લા 100 વર્ષમાં આવેલી આ સૌથી મહામારી છે. આ પ્રકારની મહામારી આધુનિક વિશ્વએ ક્યારેય જોઈ પણ નહતી.

આટલી મોટી વૈશ્વિક મહામારી સામે આપણો દેશ અનેક મોરચે લડી રહ્યો છે. કોવિડ હોસ્પિટલ બનાવવાથી લઈને ICU બેડ્સ વધારવા, વેન્ટેલેટરની વ્યવસ્થા કરવાથી લઈને ટેસ્ટિંગ લેબનું નેટવર્ક તેયાર કરવાનું હોય. છેલ્લા સવા વર્ષમાં દેશમાં એક નવું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે.

 

બીજી લહેરમાં મિસ મેનેજમેન્ટ અને કેન્દ્રની ભૂમિકા પર સવાલ ઉઠવા પર વડાપ્રધાને કહ્યું કે, રાજ્યોની માંગ પર જ કોરોના સંક્રમણના નિયંત્રણ અને વૅક્સિનેશનના અધિકાર આપવામાં આવ્યા હતા.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને દિવાળી સુધી લંબાવવામાં આવી છે. જે બાદ 80 કરોડ લોકોને પહેલાની જેમ જ મફત અનાજ મળતું રહેશે. કોઈ પણ પરિવાર ભૂખ્યો નહી સૂવે. મહામારીના આ કપરા સમયમાં સરકાર ગરીબોની દરેક જરૂરિયાત પૂરી કરવા માટે તેમની સાથી બનીને ઉભી છે

Related posts

૯૫ વર્ષીય વૃદ્ધ માતાઓ એ રામ મંદિર નિર્માણ માટે આપી પોતાની પેન્શન

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીનું સંબોધન ની મહત્વની વાતો.

Ahmedabad Samay

એમ્ફાન વાવાઝોડા ના કારણે બંગાળ અને ઓડિશામાં ભારે પવન સાથે વરસાદ શરૂ.

Ahmedabad Samay

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને હાલ પોરબંદરના ધારાસભ્‍ય અર્જુનભાઇ મોઢવાડીયા પણ કોંગ્રેસને રામરામ,કેસરીયો કરશે ધારણ

Ahmedabad Samay

દિવ્યાંશ અને મનુરાજ બન્યા ઈન્‍ડિયાઝ ગોટ ટેલેન્‍ટ ૯મી સીઝનના વિજેતા

Ahmedabad Samay

૨૮ સપ્ટેમ્બરના રોજ જીગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો