May 8, 2026
તાજા સમાચારદુનિયાદેશ

ઈરાનમાં વર્તમાનમાં ફાટી નીકળેલી અરાજકતા માટે ઓપરેશન સ્વદેશ શરૂ, આજે પહેલી ફ્લાઇટ આવશે ઈરાન

ઈરાનમાં વર્તમાનમાં ફાટી નીકળેલી અરાજકતા અને ‘રિયાલ’ના મૂલ્યમાં થયેલા રેકોર્ડબ્રેક ઘટાડા બાદ સ્થિતિ હવે કાબૂ બહાર ગઈ છે. રસ્તાઓ પર હિંસક પ્રદર્શનો અને તેહરાનની ગલીઓમાં ફેલાયેલા તણાવ વચ્ચે ભારત સરકારે પોતાના નાગરિકોને બચાવવા માટે રણશિંગુ ફૂંક્યું છે.

વિદેશ મંત્રાલયે સ્પષ્ટ સૂચના આપી છે કે હવે રાહ જોવાનો સમય નથી; ભારતીયોએ તાત્કાલિક ઈરાન છોડવું પડશે. શુક્રવારે સવારે 8 વાગ્યે તેહરાન એરપોર્ટ પરથી પ્રથમ વિશેષ ફ્લાઇટ નવી દિલ્હી માટે ઉડાન ભરશે, જે સેંકડો ભારતીય વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત અને પરિવારો માટે આશાનું કિરણ લાવશે.

ઈરાનના ઘણા ભાગોમાં ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે, જેના કારણે દૂતાવાસ માટે વિદ્યાર્થીઓ સાથે સંપર્ક સાધવો એ કોઈ ‘મિશન ઈમ્પોસિબલ’થી ઓછું નથી. તેમ છતાં, ભારતીય રાજદ્વારીઓએ વ્યક્તિગત રીતે યુનિવર્સિટીઓના કેમ્પસ સુધી પહોંચીને વિદ્યાર્થીઓની નોંધણી શરૂ કરી છે.

ખાસ કરીને ગોલેસ્તાન અને તેહરાન મેડિકલ યુનિવર્સિટીમાં MBBS કરી રહેલા કાશ્મીરી વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ઈન્ટરનેટ ન હોવાને કારણે વાલીઓ પોતાના બાળકોને ટિકિટના પૈસા કે ડિજિટલ કોપી પણ મોકલી શકતા નથી, જેવી સ્થિતિમાં ભારત સરકારના આ મિશને વાલીઓની ચિંતામાં મોટો ઘટાડો કર્યો છે.

જમ્મુ અને કાશ્મીર વિદ્યાર્થી સંગઠન (JKSA) એ પુષ્ટિ કરી છે કે દૂતાવાસે તમામ વિદ્યાર્થીઓના પાસપોર્ટ અને ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ એકત્રિત કરી લીધા છે. પ્રથમ બેચમાં જે વિદ્યાર્થીઓ ભારત પરત ફરી રહ્યા છે, તેમના માટે શુક્રવારની સવાર અત્યંત નિર્ણાયક છે. દૂતાવાસે સલાહ આપી છે કે તમામ ભારતીયોએ તેમના દસ્તાવેજો એક થેલામાં તૈયાર રાખવા અને કોઈપણ સમયે એરપોર્ટ જવા માટે સજ્જ રહેવું. આ ઓપરેશનમાં સિવિલ એરક્રાફ્ટની સાથે જરૂર પડ્યે લશ્કરી પરિવહન વિમાનોનો ઉપયોગ કરવાની પણ તૈયારી રાખવામાં આવી છે.

બીજી તરફ, આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કડક નિવેદનો બાદ ઈરાનમાં ગમે ત્યારે સૈન્ય હસ્તક્ષેપની ભીતિ સેવાઈ રહી છે. આ ગંભીર જોખમને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રી એસ. જયશંકરે ઈરાની સમકક્ષ સાથે સીધી વાતચીત કરી ભારતીયોની સલામતી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો છે.

ભારતીય દૂતાવાસે ચાર ઈમરજન્સી હેલ્પલાઈન નંબરો (+989128109115; +989128109109) જારી કર્યા છે, જેથી મુશ્કેલીમાં ફસાયેલો કોઈપણ નાગરિક ગમે ત્યારે સંપર્ક કરી શકે. સરકારનો ધ્યેય આગામી થોડા દિવસોમાં તમામ 10,000 ભારતીયોને સલામત રીતે વતન પરત લાવવાનો છે.

Related posts

છત્રપતિ શિવાજી મહારાજના ૧૨ કિલ્લાઓ વિશ્વ ધરોહર બન્યા, જાણો ૧૨ કિલ્લા વિશે માહિતી

Ahmedabad Samay

યુપીના મુખ્ય મંત્રી યોગી અદિત્યનાથનો ડંકો અમેરિકામાં વાગ્યો, અમેરિકામાં યોગી મોડલ ચર્ચામાં

Ahmedabad Samay

આ વિટામિનની ઉણપથી થાય છે શરીરમાં બળતરા-ત્વચાના રોગો, તરત જ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરો

Ahmedabad Samay

ટોલ ટેક્સમાં વધારો કર્યો,નવા દરો હવે 12મી જૂન એટલે કે રવિવાર રાતથી લાગુ થશે. સોમવારથી સમગ્ર દેશમાં રોડ ટોલ ચાર્જમાં 3-5%નો વધારો થવાની તૈયારી

Ahmedabad Samay

જમ્મુ-કાશ્મીરમાં કમાલકોટ સેક્ટરમાં અંકુશ રેખા પર પાકિસ્તાને ગોળીબાર. ભારતીય સેનાના વળતા જવાબમાં પાકિસ્તાન ઘબરાયું, પાક.ના ૦૮ સૈનિકો ઠાર

Ahmedabad Samay

શેરબજાર  શનિવારના રોજ વિશેષ ટ્રેડિંગ સત્ર માટે ખુલ્લું રહેશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો