May 15, 2026
દેશરમતગમત

ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે સિરીઝમાં અજેય રહેવાની મેચ જીતી લીધી,અજીત વાડેકરની સફળતાનુ પુનરાવર્તન કર્યુ

ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે કેનિંગ્ટન ઓવલ ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ ઈન્ડિયન ટીમે 157 રનથી જીતી લીધી છે. ઇંગ્લેન્ડને જીતવા માટે 368 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં જો રૂટની ટીમ 210 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આની સાથે જ ઈન્ડિયન ટીમે 5 ટેસ્ટ મેચની સિરીઝમાં 2-1થી અજેય લીડ મેળવી લીધી છે

કેનિંગ્ટન ઓવલના મેદાન પર ઈન્ડિયન ટીમનો ટ્રેક રેકોર્ડ છેલ્લા 50 વર્ષોમાં સારો રહ્યો નહતો. ઈન્ડિયન ટીમ આ મેદાન પર કુલ 13 ટેસ્ટ રમી ચૂકી છે અને તેમાંથી માત્ર એક જ જીતી શકી હતી. જ્યારે પાંચ મેચમાં ઈન્ડિયન ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે 7 મેચ ડ્રો રહી હતી. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ટીમ એકમાત્ર મેચ લગભગ 50 વર્ષ પહેલા 1971માં ઇંગ્લેન્ડ ટૂર પર અહીં જીતી હતી. 1971માં અજીત વાડેકરની કેપ્ટનશિપ હેઠળ ઈન્ડિયન ટીમે ઇંગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ લંડનના ઓવલ મેદાન માં રમાઇ હતી. મેચના અંતિમ દિવસે ભારતીય ટીમે ઇંગ્લેન્ડને ઓલઆઉટ કરીને જબરદસ્ત જીત મેળવી હતી. ભારતીય ટીમે બીજા દાવની રમતમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે સિરીઝમાં અજેય રહેવાની મેચ જીતી લીધી છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડીયાએ અજીત વાડેકરની સફળતાનુ પુનરાવર્તન કર્યુ છે.

Related posts

અમરનાથ યાત્રા રૂટ પર ઘણી જગ્યાએ થયું ભૂસ્ખલન. બાલતાલ રૂટ પર ભૂસ્ખલનને કારણે ૧૦ યાત્રાળુઓ ઘાયલ

Ahmedabad Samay

હિમન્તા બિસ્વા સરકારની ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે આ બીજી મોટી કાર્યવાહી

Ahmedabad Samay

સત્રમાં સરકાર એક મોટો ટેક્‍સ ફેરફાર રજૂ કરવા જઈ રહી છે, જે ડાયરેક્‍ટ સિગારેટ, પાન મસાલા અને ગુટખા જેવી પ્રોડક્‍ટ્‍સ સાથે જોડાયેલો હશે

Ahmedabad Samay

દિવાળીમાં સરકાર દ્વારા આપવામાં આવશે GST બોનસ, ૭૦ – ૮૦ % વસ્તુઓ થશે સસ્તી, મધ્યમવર્ગીય માટે ખુશીના સમાચાર

Ahmedabad Samay

લગભગ ૩૯.૧ ટકા ખેડૂતોએ મોદી સરકારની કામગીરીથી સંતોષ વ્‍યક્‍ત કર્યો

Ahmedabad Samay

મોદી સરકારનો નિર્ણય ONGC ની ૧.૫ ટકા ભાગીદારી વેચી દેવાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો