ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે કેનિંગ્ટન ઓવલ ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ ઈન્ડિયન ટીમે 157 રનથી જીતી લીધી છે. ઇંગ્લેન્ડને જીતવા માટે 368 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં જો રૂટની ટીમ 210 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આની સાથે જ ઈન્ડિયન ટીમે 5 ટેસ્ટ મેચની સિરીઝમાં 2-1થી અજેય લીડ મેળવી લીધી છે
કેનિંગ્ટન ઓવલના મેદાન પર ઈન્ડિયન ટીમનો ટ્રેક રેકોર્ડ છેલ્લા 50 વર્ષોમાં સારો રહ્યો નહતો. ઈન્ડિયન ટીમ આ મેદાન પર કુલ 13 ટેસ્ટ રમી ચૂકી છે અને તેમાંથી માત્ર એક જ જીતી શકી હતી. જ્યારે પાંચ મેચમાં ઈન્ડિયન ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે 7 મેચ ડ્રો રહી હતી. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન ટીમ એકમાત્ર મેચ લગભગ 50 વર્ષ પહેલા 1971માં ઇંગ્લેન્ડ ટૂર પર અહીં જીતી હતી. 1971માં અજીત વાડેકરની કેપ્ટનશિપ હેઠળ ઈન્ડિયન ટીમે ઇંગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ લંડનના ઓવલ મેદાન માં રમાઇ હતી. મેચના અંતિમ દિવસે ભારતીય ટીમે ઇંગ્લેન્ડને ઓલઆઉટ કરીને જબરદસ્ત જીત મેળવી હતી. ભારતીય ટીમે બીજા દાવની રમતમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે સિરીઝમાં અજેય રહેવાની મેચ જીતી લીધી છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડીયાએ અજીત વાડેકરની સફળતાનુ પુનરાવર્તન કર્યુ છે.