June 24, 2026
ગુજરાતરાજકારણ

પટેલ સરકારમાં ૧૨ જેટલાં નવા ચહેરાઓનો પ્રધાનમંડળમાં સમાવેશ થઇ શકે

નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્રભાઈ  પટેલે સોમવારના રોજ શપથવિધિ લીધા બાદ હવે તેઓ નવાં મંત્રીમંડળની રચના કરશે. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર ભાઈ પટેલએ શપથ ગ્રહણ કર્યા બાદ હવે નવી સરકારના પ્રધાનમંડળની રચનાની કવાયત હાથ ધરાઇ છે. હવે કાલે  મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ  પટેલના પ્રધાનમંડળની શપથવિધિ યોજાશે.

રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આચાર્ય તમામ પ્રધાનોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. શપથગ્રહણ બાદ કેબિનેટની બેઠક મળશે. જેમાં નવા પ્રધાનોને ખાતાની જવાબદારી સોંપવામાં આવશે. ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા સૂચના આપવામાં આવી છે.

રાતથી સંભવિત પ્રધાનોને કોલ કરવામાં આવશે. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવા પ્રધાનમંડળમાં રૂપાણી સરકારના 10 કરતા વધુ પ્રધાનોની બાદબાકી થવાનું મનાઇ રહ્યું છે. જ્યારે 12 જેટલાં નવા ચહેરાઓનો પ્રધાનમંડળમાં સમાવેશ થઇ શકે છે. ભૂપેન્દ્ર યાદવ તેમજ બી.એલ.સંતોષ કેન્દ્રીય મોવડીમંડળ સાથે સતત સંપર્કમાં રહી નવા પ્રધાનોની યાદી તૈયાર કરી છે

Related posts

ગુજરાત વિધાનસભાની આઠેય બેઠકો ઉપર ભગવો લહેરાવ્યો

Ahmedabad Samay

ઓનલાઇન શિક્ષણ થી વંચિત વિદ્યાર્થીઓ ને કઠવાડા ગામમાં અપાયછે ફ્રી શિક્ષણ

Ahmedabad Samay

કર્ણાટક કેબિનેટનું આજે થશે વિસ્તરણ! 24 ધારાસભ્યો લેશે મંત્રી પદના શપથ, જાણો સંપૂર્ણ વિગતો

Ahmedabad Samay

ભરૂચ શહેર અને જિલ્લામાં લાકડાંમાં કિલોએ માત્ર 1 રૂપિયાનો વધારો છતાં વેચાણ ઘટ્યું…

Ahmedabad Samay

નરોડાના ધારાસભ્ય બલરામ થવાણી કોરોના પોઝિટિવ

Ahmedabad Samay

મોરબીમાં કુંભારી કળા સાથે જોડાયેલા લોકો માટે ખુશખબર, માટીની વસ્તુઓ વેચવા માટે મળશે ISI માર્ક, જાણો ‘મિટ્ટીકુલ’ના પ્રણેતા મનસુખભાઇ પ્રજાપતિએ શું કહ્યું?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો