June 24, 2026
ગુજરાતરાજકારણ

હાર્દિક પટેલે નવા મંત્રીમંડળ મુદ્દે ભાજપ પર કટાક્ષ કર્યું, કહ્યું ભાજપના નારાજ નેતાઓ માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે

હાર્દિક પટેલે નવા મંત્રીમંડળ મુદ્દે ભાજપ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણીના એક વર્ષ બાકી છે ત્યારે મોટું નાટક કરી ભાજપ સરકાર લોકોને ગેરમાર્ગે દોરે છે.  ભાજપે નો રિપીટ થિયરી અપનાવી છે એટલે હવે પ્રજાએ પણ ભાજપ માટેનો રિપીટ થિયરીનું મન બનાવી લીધું છે. હાર્દિક પટેલ આજે જામનગરના બેડીમાં વરસાદમાં મૃત્યુ પામેલા માછીમાર પરિવારની મુલાકાતે આવ્યા હતા.

જામનગરમાં ભારે વરસાદી વાતાવરણ વચ્ચે દરિયાના વહેણમાં માછીમારી કરવા ગયેલા બેડી વિસ્તારના બે માછીમાર બંધુના ડૂબી જવાથી મૃત્યું થયા હતા. હાર્દિક પટેલ અસરગ્રસ્ત પરિવારની મુલાકાતે આવ્યા હતા. સ્થાનિક અગ્રણીઓ સાથે મુલાકાત દરમ્યાન મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી મદદની ખાતરી આપી હતી.

તે પછી તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપના નારાજ નેતાઓ અંગે કહ્યું કે, નીતિન પટેલ સહિત નારાજ મંત્રીઓને વિપક્ષમાં આવવું હોય તો અમારા દરવાજા ખુલ્લા છે. અગાઉ પણ હાર્દિક પટેલે સરકારમાં જે હલચલ ચાલી રહી હતી તેને લઇને નિવેદન આપતા જણાવ્યું હતું કે, આરએસએસ અને ભાજપના સર્વેમાં કોંગ્રેસ જીતી રહ્યું છે. આ કારણે જ ગુજરાતના મુખ્યમંત્રી પાસેથી રાજીનામું લેવામાં આવ્યું છે.

Related posts

શાળામાં આવતા વિદ્યાર્થીને કોરોના થાય તો સંચાલક જવાબદાર નહી:સ્કૂલ મેનેજમેન્ટ

Ahmedabad Samay

હિન્દૂ સેના ના પ્રદેશ ઉપાઅધ્યક્ષ શ્રી વિનય શર્માને વિધર્મી દ્વારા મળી ધમકી.

Ahmedabad Samay

અમદાવાદના બોપલ વિસ્તારમાં કોરોના વિસ્ફોટ,કુલ ૮૦ કોરોના પોઝિટવ કેસ એકસાથે

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રી ને “પઠાણ” ફિલ્મને પ્રસારિત થતા રોકવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું

Ahmedabad Samay

લોકસભા ચૂંટણીના આંચકા બાદ ૩ રાજ્યોના સીએમ એક્શન મોડમાં, ૩ રાજ્યોમાં ભરતીની જાહેરાત કરાઇ

Ahmedabad Samay

દેશમાં કાલે પહેલી એપ્રિલથી લોકોના નાણાકીય અને બેન્‍કિંગ આદતમાં નોંધપાત્ર ફેરફારો લાવશે, જાણો મહત્વપૂર્ણ બદલાવો,વાંચો મહત્વપૂર્ણ સમાચાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો