ગતરોજ અમદાવાદના મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા તેમના સમાજનું પ્રથમ ઐતિહાસિક અને વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું,
સ્નેહમિલનમાં અમદાવાદ સ્થિત મરાઠી સમાજના લોક માન્ય સેવા સમિતિ(વાડેકર પંચ),માસવકર પંચના વિજય ક્લેસિકર, નૂતન પંચના મનોહર સિરસોરકર, કાંકરિયા પંચ તરફથી સુરેશ કદમ અને અન્ય પંચના સભ્યો પણ ઉપસ્થિત રહયા હતા.

સમાજના આ પ્રથમ ઐતિહાસિક કાર્યક્રમમાં સમાજના સૌ કોઈએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, સ્નેહમિલન કાર્યક્રમમાં સંગીત, ડાન્સ અને મોટિવેશનલ સ્પીચ તેમજ સંસ્કૃતિક કાર્યક્રમ પણ ઉજ્જવામાં આવ્યું હતું, વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં સારી સફળતા મળે પ્રોત્સાહન મળે તે માટે ટ્રસ્ટ દ્વારા સર્ટીફિકેટ અને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું, કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નરોડા વિધાનસભાના MLA પાયલબેન કુકરાણી, બાપુનગર વિધાનસભા વોર્ડના MLA દિનેશભાઇ કુશવાહ અને સમય ન્યૂઝના સબ એડિટર નિરજસિંહ ભદૌરિયા ઉપસ્થિત રહ્યા હતા, MLA પાયલબેન કુકરાણી અને દિનેશભાઇ કુશવાહજી એ સમાજ તમામ રીતે મદદરૂપ થવા માટે તેમના વિકાસમાં સહભાગી થશે અને બનતી મદદ કરવા આશ્વાસન આપ્યું હતું.
