પોલીસ ગ્રેડ પે મામલે સરકારે 5 સભ્યોની ખાસ કમિટીની રચના કરી છે.હવે આ કમિટી સમક્ષ રજૂઆત કરવાની રહેશે. સરકાર દ્વારા બનાવાયેલ કમિટી બાદ હવે કોઇપણ પોલીસ કર્મચારી રેલી કે ખોટી પોષ્ટ મુકશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે તેમ રાજય પોલીસ વડા આશિષ ભાટીયાએ ચેતવણી આપી છે

કમિટીના સભ્યોમાં આઇપીએસ અધિકારી બ્રિજેશકુમાર ઝા ઉપરાંત જીએડી, નાણાં અને ગૃહ વિભાગના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 5 સભ્યોની કમિટી જલ્દી નિર્ણય કરશે અને કર્મચારીઓના રજૂ કરેલા 15 મુદ્દાઓનું નિરાકરણ કરશે.
ગ્રેડ-પેને લઇને ચાલી રહેલા આંદોલનમાં રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ જાહેરાત કરી છે કે, ગ્રેડ-પેનો મુદ્દો ઉકેલવા કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીના અધ્યક્ષ આઇપીએસ બ્રિજેશ ઝા રહેશે. કમિટીમાં પાંચ અધિકારીઓનો સમાવેશ કરાયો છે. કમિટીને તમામ તપાસના અધિકાર આપવામાં આવ્યા છે.
કમિટી ત્વરિત રિપોર્ટ આપે તેવી ભલામણ કરવામાં આવી છે. આ કમિટી દરેક પોલીસ કર્મચારીની રજૂઆત સાંભળશે. ગેરશિસ્ત કરનારા સામે કાર્યવાહી કરશે. સોશિયલ મીડિયમાં ખોટી પોસ્ટ મુકવા બદલ 4 સામે ગુના નોંધાયા છે.
