અમદાવાદમાં શ્રાવણ માસને લઇ AMCએ ધાર્મિક યાત્રા માટે શહેરીજનો માટે ખાસ આયોજન કર્યું છે. જેમાં AMTS શહેરના 30 પૌરાણીક ધાર્મિક સ્થળોની યાત્રા કરાવશે. 3 હજાર ચૂકવી શહેરના મંડળો કે પછી સોસાયટીના રહીશો એક સાથે મુસાફરી કરી શકશે. આ વર્ષે ઘટાડો કરી 80 બસ ફાળવવામાં આવી છે.
અમદાવાદમાં શ્રાવણ માસને લઇ AMCએ ધાર્મિક યાત્રા માટે શહેરીજનો માટે ખાસ આયોજન કર્યું છે. જેમાં AMTS શહેરના 30 પૌરાણીક ધાર્મિક સ્થળોની યાત્રા કરાવશે. 3 હજાર ચૂકવી શહેરના મંડળો કે પછી સોસાયટીના રહીશો એક સાથે મુસાફરી કરી શકશે. આ યાત્રાનું 4 ટર્મિનસ ખાતે બુકિંગ કરવામાં આવશે.
મહત્વનું છે કે, AMTS દ્વારા ગત વર્ષે દરરોજ 100 બસ ફાળવવામાં આવતી હતી.. જ્યારે ચાલુ વર્ષે ઘટાડો કરી 80 બસ કરવામાં આવી છે. આ અંગે AMCએ કારણ આપતા કહ્યું કે, શહેરના ટ્રાફિક અને લોકોને અગવડતા ન પડે તેના માટે સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે.
