May 9, 2026
ગુજરાત

દિવાળીના તહેવારે ગુજરાતભરમાં આગના બનાવો બન્યા

દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાથી આગના સૌથી વધુ બનાવો બનતા હોય છે. ત્યારે આ વર્ષે પણ ગુજરાતભરમાં આગના બનાવો બન્યા છે. ક્યાંક કોઈના ઘરમાં, તો ક્યાંક ગોડાઉનમાં ફટાકડાના તણખાથી આગ ફાટી નીકળી હતી.

સુરતમાં ૨૦ જેટલા ઝૂપડામાં લાગી આગ
સુરતના હારા દરવાજા ખાતે ઝૂપડપટ્ટીમાં ફટાકડાથી આગ લાગવાનો બનાવ બન્યો હતો. દિવાળી ટાંણે ૧૫ થી ૨૦ જેટલા ઝુંપડા સળગી ગયા હતા. જોકે, કોઈ જાનહાની થઈ ન હતી. આગની ઘટનાથી ૦૭ જેટની ફાયરની ગાડી પહોંચી ગઈ હતી. હાલ ફટાકડો પડતા આગ લાગી હોવાનું તારણ છે. દિવાળીના તહેવાર પર ઝૂપડામાં રહેતા તમામ લોકોનો ઘરવખરીનો સમાન આગમાં બળીને ખાખ થઈ ગયો.

અમદાવાદમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ
અમદાવાદમાં પણ દિવાળીના રાત્રે આગનો બનાવ બન્યો હતો. ઓઢવ નજીક જય કેમિકલ પાસે પ્લાસ્ટિકના ગોડાઈનમાં આગ લાગી હતી. પ્લાસ્ટિક હોવાથી જોતજોતામાં આગ પ્રસરી ગઈ હતી. આગના ધુમાડા ઊંચે સુધી ઉડ્યા હતા. જેથી ફાયરની 2 થી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી હતી.

પાદરામાં મકાનમાં આગ લાગી
વડોદરાના પાદરાના નવાપુરા વિસ્તારમા આગનો બનાવ બન્યો હતો. એક મકાનના ઉપલા માળે આગ લાગી હતી. જેથી પાદરાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાને પગલે લોક ટોળાં જામ્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.

જામનગરમાં પણ આગના લાગવાની બનાવ બની.
જામનગરમાં વેફરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જામનગર શહેરના પવન ચક્કી વિસ્તારની ઘટના આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેથી ફાયરની ટીમ દ્વારા 3 જેટલી ગાડી દ્વારા આગને કાબૂમાં લેવા કવાયત હાથ ધરાઈ હતી.

Related posts

આઇશાના પરિવાર દ્વારા પત્રકાર પરિષદમાં ચોકાવનાર કિસ્સા લાવ્યા સામે

Ahmedabad Samay

જાણો ૧૮ તારીખ સુધી ગુજરાતના કયા ક્યાં રાજ્યોમાં પડશે વરસાદ

Ahmedabad Samay

કરણી સેના દ્વારા લુઆરા ગામ અને મુદ્રા, ક્ચ્છ ની ઘટના સંદર્ભે કલેકટર શ્રીને આવેદનપત્ર આપ્યું

Ahmedabad Samay

ઘાટલોડિયામાં આવેલ એક ફેકટરીમાં ૦૩ લોકોના થયા મૃત્યુ

Ahmedabad Samay

જયમન શર્મા, હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી એ દરેક સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી

Ahmedabad Samay

રાજકોટ ખાતે એમએસએમીઇ કોનકલેવનું આયોજન: વેપાર ઉદ્યોગને લાગતાં 20 સ્ટોલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો