March 23, 2026
ગુજરાત

દિવાળીના તહેવારે ગુજરાતભરમાં આગના બનાવો બન્યા

દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાથી આગના સૌથી વધુ બનાવો બનતા હોય છે. ત્યારે આ વર્ષે પણ ગુજરાતભરમાં આગના બનાવો બન્યા છે. ક્યાંક કોઈના ઘરમાં, તો ક્યાંક ગોડાઉનમાં ફટાકડાના તણખાથી આગ ફાટી નીકળી હતી.

સુરતમાં ૨૦ જેટલા ઝૂપડામાં લાગી આગ
સુરતના હારા દરવાજા ખાતે ઝૂપડપટ્ટીમાં ફટાકડાથી આગ લાગવાનો બનાવ બન્યો હતો. દિવાળી ટાંણે ૧૫ થી ૨૦ જેટલા ઝુંપડા સળગી ગયા હતા. જોકે, કોઈ જાનહાની થઈ ન હતી. આગની ઘટનાથી ૦૭ જેટની ફાયરની ગાડી પહોંચી ગઈ હતી. હાલ ફટાકડો પડતા આગ લાગી હોવાનું તારણ છે. દિવાળીના તહેવાર પર ઝૂપડામાં રહેતા તમામ લોકોનો ઘરવખરીનો સમાન આગમાં બળીને ખાખ થઈ ગયો.

અમદાવાદમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ
અમદાવાદમાં પણ દિવાળીના રાત્રે આગનો બનાવ બન્યો હતો. ઓઢવ નજીક જય કેમિકલ પાસે પ્લાસ્ટિકના ગોડાઈનમાં આગ લાગી હતી. પ્લાસ્ટિક હોવાથી જોતજોતામાં આગ પ્રસરી ગઈ હતી. આગના ધુમાડા ઊંચે સુધી ઉડ્યા હતા. જેથી ફાયરની 2 થી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી હતી.

પાદરામાં મકાનમાં આગ લાગી
વડોદરાના પાદરાના નવાપુરા વિસ્તારમા આગનો બનાવ બન્યો હતો. એક મકાનના ઉપલા માળે આગ લાગી હતી. જેથી પાદરાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાને પગલે લોક ટોળાં જામ્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.

જામનગરમાં પણ આગના લાગવાની બનાવ બની.
જામનગરમાં વેફરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જામનગર શહેરના પવન ચક્કી વિસ્તારની ઘટના આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેથી ફાયરની ટીમ દ્વારા 3 જેટલી ગાડી દ્વારા આગને કાબૂમાં લેવા કવાયત હાથ ધરાઈ હતી.

Related posts

ઓક્‍ટોબર મહિનામાં સાબરમતીથી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી સુધી અને સાબરમતીથી પાલીતાણા સુધીની સી પ્‍લેન ચલાવવાની યોજના શરૂ થશે

Ahmedabad Samay

આ વર્ષે સાદગીથી યોજાશે રથયાત્રા, ૫૦ થી ઓછા લોકો રહેશે હાજર

Ahmedabad Samay

સમગ્ર ગુજરાતમાં ૪ થી ૭ જુલાઈ સુધી અમુક વિસ્‍તારોમાં ૧ ઈંચ થી ૬ સુધી  ભારે વરસાદ પડી શકે છે

Ahmedabad Samay

હિન્દુ ધર્મની અને હિન્દુઓ પોતાની રક્ષા કરી શકે તે માટે મફત સેવા

Ahmedabad Samay

રાજપૂત અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મુસ્લિમ ગરાસિયા સમાજ ના આગેવાનો પણ જોડાયા

Ahmedabad Samay

નરોડા પાટિયા કાંડના આરોપી ની હત્યા કરનારની પોલીસ દ્વારા ધરપકડ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો