મુખ્યમંત્રીશ્રીએ સવારે ભદ્રકાળી મંદિર પહોંચીને શ્રધ્ધા પૂર્વક દર્શન અર્ચન કર્યા હતા.
શ્રી ભૂપેન્દ્ર પટેલે નવું વર્ષ ગુજરાતના સતત અવિરત વિકાસ અને સૌ પ્રજાજનોની આરોગ્ય સુખાકારી સાથે સુખ સમૃદ્ધિ અને વિકાસ લાવનારું બને તેવી માતાજીને પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીશ્રી સાથે મેયરશ્રી કિરીટ ભાઈ, અમદાવાદ શહેરના પૂર્વ મેયર શ્રી અમિતભાઇ શાહ, મંદિરના ટ્રસ્ટી શ્રીઓ સહિત અગ્રણીઓ જોડાયા હતા
ભદ્રકાળી મંદિર પરિસરમાં ઉપસ્થિત નાગરિકો નગરજનો ને પણ મુખ્યમંત્રીશ્રી એ સાલ મુબારક પાઠવ્યા હતા
