June 25, 2026
ગુજરાત

કોવિડ-૧૯નો ઓમિક્રોન વેરીયન્‍ટ લગભગ ‘અજેય’ છે અને તેનાથી દરેક લોકો સંક્રમિત થશે

કોવિડ-૧૯નો ઓમિક્રોન વેરીયન્‍ટ લગભગ ‘અજેય’ છે અને તેનાથી દરેક લોકો સંક્રમિત થશે. સરકારના એક ટોચના નિષ્‍ણાંતે આ બાબત જણાવી છે. તેમણે ભારપૂર્વક કહ્યુ છે કે કોવિડ હવે એક ભયાનક બિમારી નથી. નવા સ્‍ટ્રેનની અસર ઘણી ઓછી છે અને ઘણા ઓછા લોકોને જ હોસ્‍પીટલમાં દાખલ કરવાની જરૂર પડી છે. આઈસીએમઆરના નેશનલ ઈન્‍સ્‍ટીટયુટ ઓફ એપીડેમીયોલોજીમાં વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના વડા ડો. જયપ્રકાશ મુલીયિલએ કહ્યુ છે કે ઓમિક્રોન એવી બિમારી છે જેને આપણે નિપટી શકીએ છીએ. આપણા લોકોમાંથી ઘણાને એ પણ ખબર નહી પડે કે આપણે તેનાથી સંક્રમિત થઈ ગયા છીએ.

સંભવતઃ ૮૦ ટકાથી વધુને એ પણ ખબર નહી પડે કે એ અમને ક્‍યારે થયો હતો ? તેમણે કહ્યુ છે કે કોરોનાના ઓમિક્રોન વેરીયન્‍ટને રોકવો અસંભવ છે અને આખરે તે સમગ્ર દુનિયાને સંક્રમિત કરીને જ રહેશે.

ડો. મુલિયિલે એમ પણ જણાવ્‍યુ છે કે ઓમિક્રોન વેરીયન્‍ટને ફેલાતો રોકવા માટે વેકસીનનો બુસ્‍ટર ડોઝ પણ કામ આવે તેમ નથી એટલે કે તે રોકી શકે તેમ નથી.
આઈસીએમઆરના નેશનલ ઈન્‍સ્‍ટીટયુટ ઓફ એપીડેમિયોલોજીના વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના વડા આ ડોકટરે એનડીટીવી સાથેની વાતચીતમાં એવુ કહ્યુ હતુ કે, હવે કોરોના ખતરનાક નથી કારણ કે તેનો નવો સ્‍ટ્રેન નબળો છે અને હોસ્‍પીટલમાં દાખલ થવાની પણ જરૂર નથી. તેમણે કહ્યુ છે કે હવે આ એવી બિમારી છે જેને આપણે નિપટી શકીએ તેમ છીએ. તે ડેલ્‍ટાની સરખામણીમાં ઘણો માઈલ્‍ડ(હળવો) છે અને તેને રોકવાનું વ્‍યવહારીક રીતે અસંભવ છે.
ડો. જયપ્રકાશે  વધુમાં જણાવ્યું હતુ કે આ સંક્રમણથી શરીરમાં આવતી ઈમ્‍યુનીટી જીવનભર રહેશે અને આ જ કારણ છે બાકી દેશોની જેમ ભારત ખરાબ રીતે અસરગ્રસ્‍ત નથી બન્‍યુ. તેમણે કહ્યુ હતુ કે જ્‍યારે વેકસીન આવી પણ નહોતી ત્‍યારે ભારતની ૮૫ ટકા વસ્‍તી સંક્રમિત થઈ ચૂકી હતી એટલે વેકસીનનો પહેલો ડોઝ જ બુસ્‍ટર ડોઝ હતો.
આકરા લોકડાઉન બાબતે તેમણે કહ્યુ હતુ કે આપણે લાંબા સમય સુધી ઘરમાં બંધ ન રહી શકીએ.

New up 01

Related posts

અમદાવાદ: 23 ખાનગી શાળાઓ બંધ થવાની સંભાવના, અપૂરતા વિદ્યાર્થીઓ બનશે કારણ

Ahmedabad Samay

કાલે લોકડાઉન ને લઈ થશે નિર્ણય, વડાપ્રધાન તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે કરશે બેઠક

Ahmedabad Samay

અમદાવાદની જીસીએસ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગે મોક ડ્રિલ યોજાઈ

Ahmedabad Samay

શ્રી રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસને રામ કુટિર ફ્લેટ દ્વારા ધામ ધૂમથી ઉજવણી કરાઇ, સીતા રામ અને લક્ષ્મણજીની રંગોળી બનાવાઈ

Ahmedabad Samay

ભારતથી આવતી ફ્લાઇટ પર કેનેડામાં વધુ એક મહિનો પાબંદી

Ahmedabad Samay

ક્ષત્રિયોનો ઉગ્ર આંદોલ હોવા છતાં પરસોત્તમ રૂપાલાનો જોરો શોરોથી ચૂંટણી પ્રચાર યથાવત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો