તારીખ 26/01/2022 ના રોજ ધંધુકા શહેરના નવયુવાન કિશનભાઈ શિવાભાઈ ભરવાડની ઉપર વિધર્મીઓ દ્વારા ફાયરીંગથી હત્યા કરવામાં આવેલ જેને કારણે હિન્દુ સમાજમાં દુખ અને રોષની લાગણી પ્રવર્તી છે .

જેને લઇને આ કેશને ફાસ્ટટેક કોર્ટમાં તાત્કાલીક ધોરણે ચલાવી આરોપીઓને કડક માં કડક સજા થાય જેથી કરી ભવિષ્યમાં આવી ઘટના વિધર્મીઓ કરે નહીં તેવો દાખલો સમાજમાં બેસાડવામાં આવે તેવું આવેદનપત્ર અમદાવાદ કલેકટર શ્રી ને શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ દ્વારા વિનંતી કરવામાં આવી હતી . આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા નમ્ર વિનંતી કરવામાં આવી હતી.
