June 24, 2026
ગુજરાત

નરોડા વિસ્તારમા એક યુવકે મંગેતરના માનસિકત્રાસથી આપઘાત કર્યો

અમદાવાદના નરોડા વિસ્તારમા એક યુવકે મંગેતરના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે. જેમાં પોલીસે આપઘાતનો ગુનો નોંધીને પરિવારના આક્ષેપોને લઈને તપાસ શરૂ કરી છે. જેમાં મંગેતરની જીદ અને લાલચથી કંટાળીને એક યુવકે આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે.

જેમાં નરોડા વિસ્તારની જયા લખન મંખીજા નામના યુવકે મંગેતરની ડિમાન્ડ અને જીદથી કંટાળીને પોતાનો જીવનનો અંત કર્યો છે. જેમાં ઘટના મુજબ 8 માસ પહેલા લખન મંખીજા અને વંદના ઉર્ફે વર્ષા જેસવાન વચ્ચે મિત્રતા થઈ અને મિત્રતા બાદ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો આ પ્રેમ સંબંધ બાદ બન્ને લગ્ન કરવાનો નિર્ણય લીધો અને પરિવારે પણ સંમતી આપી હતી

પરંતુ મંગેતર વર્ષાએ સગાઈ બાદ કિમતી ગીફટ અને પૈસાની ડિમાન્ડ શરૂ કરી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો.જેનાથી કંટાળીને લખને પોતાના ઘરમા ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. યુવાન દિકરાને ગુમાવનાર પરિવાર આઘાતમા છે અને દીકરાને ન્યાય મળે તેવી માંગ કરી રહયો છે.

 

પૈસાની સતત ડિમાન્ડ કરીને માનસિક ત્રાસ આપતી મંગેતર વંદના ઉર્ફે વર્ષાની ઓડીયો કલીપ પણ સામે આવી છે..જેમા તે લખનને પૈસાની માગંણી કરી રહી છે.. વર્ષાને જોબ માટે કેનેડા જવુ હતુ.. પરંતુ તેની માટે પૈસાની જરૂર હતી.. જે પૈસાની માંગણી તે લખન પાસે કરતી હતી.. ફલેટ વેચી દેવા અને માતા-પિતા પાસેથી પૈસાની માગંણી કરે તેવુ દબાણ કરી રહી હતી. એક કરોડ રૂપિયા કયાથી લાવવા તે બાબતે લખન અને વર્ષા વચ્ચે તકરાર ચાલતી હતી.

બે દિવસ પહેલા જ આ યુગલ સોમનાથ દર્શન કરીને આવ્યુ અને લગ્નની તૈયારીઓ કરવાનુ હતુ. પરંતુ મંગેતરની લાલચ નહિ સંતોષાતા તેણે સંબંધ તોડવાની વાત કરી અને જેનાથી લાગી આવતા લખને આપઘાત કરી લીધો. હદ તો તે થઈ કે 8 મહિનાના સંબંધમા વર્ષાએ આઈફોન મોબાઈલ, મિત્રો સાથે લદાખની ટ્રીપ અને કિંમતી વસ્ત્રોની સતત ડિમાન્ડ કરતી હતી. આ આક્ષેપોની વચ્ચે નરોડા પોલીસે આપઘાતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી.

મૃતક લખન અને વર્ષા વચ્ચેની વાતચીત અને વોટસએપ ચેટ મળી આવ્યા છે.. જેમા વર્ષા લખને હડધૂત કરતી દેખાય છે. મંગેતરના માનસિક ત્રાસથી કંટાળીને 30 વર્ષના લખને મોતનો વ્હાલુ કર્યુ હોવાના આક્ષેપો પરિવારે કર્યા છે.. ત્યારે નરોડા પોલીસે લખનનો મોબાઈલ એફએસએલમા મોકલીને આપઘાતને લઈને પરિવારના નિવેદન મેળવી વધુ તપાસ શરૂ કરી છે.

Related posts

વણઝારા સમાજ ના “ અખિલ ગુજરાત ગોર વણઝારા સેવા સમિતિ ” દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

Ahmedabad Samay

પ્રદેશ ભાજપ પ્રમુખનો કાર્યભાર સંભાળતા જગદીશ વિશ્વકર્મા કરશે સાત દિવસનો ગુજરાત પ્રવાસે, અંબાજી માતાજીનાં મંદિરે દર્શન કરીને તેમના આ સંગઠન પ્રવાસની શુભ શરૂઆત

Ahmedabad Samay

મહાભિયાન હાથ ધરાયુ, રાજ્ય સરકારે માર્ગ મરામત મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું.

Ahmedabad Samay

અમદાવાદ ના નરોડા મા વિદ્યાર્થી ઓને કરાયા સન્માનિત

Ahmedabad Samay

હાર્દિક પટેલ ગુરૂવારે તા. ર જૂનના રોજ ભાજપમાં જોરો શોરોથી જોડાશે

Ahmedabad Samay

અમદાવાદમાં ટાયર કિલર બંપ લાગવાની શરુઆત – રોંગ સાઈડમાં ગયા તો વાહનનું ટાયર ફાટ્યું સમજો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો