કોંગ્રેસને વધુ એક પુર્વ વિપક્ષી નેતા દિનેશ શર્માએ પક્ષમાંથી રાજીનામુ આપી પ્રભારી રઘુ શર્મા પર પ્રહારો કર્યા છે. તેમણે કોંગીમાં વર્ષોથી ‘નવરત્નો’ જ ધાર્યુ કરતા હોવાનો આક્રોશ અને માત્ર ધારાસભ્યોને જ મળતા હોવાનો તેમનો આક્ષેપ છે. દિનેશ શર્મા હવે ભાજપમાં જોડાશે કે કેમ ? તે જાહેર થયું નથી.
